આતંક સામેની લડાઈમાં ભારત ફ્રાન્સની સાથે: વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ફ્રાંસ (France)ના નઈસ શહેરમાં થયેલા આતંકી હુમલા સહિત તાજેતરમાં થઈ રહેલા હુમલાની આકરી નિંદા કરી છે. તેમને કહ્યું છે કે, આતંકવાદ વિરૂદ્ધની લડાઈમાં ભારત ફ્રાંસની પડખે છે. ફ્રાંસના નઈસ શહેરમાં આજે એક ચર્ચ પર થયેલા હુમલામાં એક મહિલા સહિત 3 લોકોના મોત નિપજ્યા હતાં. હુમલાખોરે ચાકુ વડે એક મહિનાનું માથુ જ ધડથી અલગ કરી નાખ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, હું આજે નઈસ શહેરમાં ચર્ચની અંદર થયેલા હુમલા સહિત ફ્રાંસમાં (France) તાજેતરમાં થયેલા આતંકી હુમલાની આકરી નિંદા કરૂ છું. પીડિત પરિવારો અને ફ્રાંસના લોકો સાથે અમારી સંવેદના. આતંકવાદ વિરૂદ્ધની લડાઈમાં ભારત ફ્રાંસની સાથે છે.
ADVERTISEMENT
I strongly condemn the recent terrorist attacks in France, including today's heinous attack in Nice inside a church. Our deepest and heartfelt condolences to the families of the victims and the people of France. India stands with France in the fight against terrorism.
— Narendra Modi (@narendramodi) October 29, 2020
થોડા દિવસ પહેલા એક ટીચરની ગળુ કાપીને હત્યા બાદ ફ્રાન્સ ઇસ્લામી કટ્ટરપંથીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહ્યું છે. તેના વિરુદ્ધ મુસ્લિમ દેશોમાં ફ્રાન્સ પ્રત્યે નારાજગીનો માહોલ છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મૈક્રોં પર ઘણા મુસ્લિમ દેશો તરફથી આક્રમક શાબ્દિક હુમલા થઈ રહ્યાં છે. તેને લઈને પણ ભારત ફ્રાન્સના રાષ્ટ્રપતિનું સમર્થન કરી ચુક્યુ છે. વિદેશ મંત્રાલયે મૈક્રોં ઉપર થઈ રહેલા હુમલાની નિંદા કરતા કહ્યુ કે, આતંક વિરુદ્ધ લડાઈમાં ભારત ફ્રાન્સની સાથે છે.
નઈસના ચર્ચમાં થયેલો આતંકી હુમલો છેલ્લા 2 મહિનામાં ફ્રાન્સમાં ત્રીજી આતંકી ઘટના છે. નોટ્રેડ્રમ ચર્ચમાં હુમલાને અંજામ આપનાર હુમલાખોર પોલીસની કાર્યવાહીથી ઈજાગ્રસ્ત છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો છે.