વિઠ્ઠલ રાદડિયાનું અવસાન, PM મોદી,CM રૂપાણીએ ટ્વિટ કરીને આપી શ્રદ્ધાંજલિ
Image Courtesy:Facebook
ગુજરાતના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાનું 61 વર્ષની વયે અવસાન થયું છે. ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતાનું અવસાન થતા સમગ્ર સૌરાષ્ટ્રમાં શોકનો માહોલ છે. ત્યારે વડાપ્રધાન મોદીએ પણ સદગતના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી છે. વડાપ્રધાને નરેન્દ્ર મોદીે ટ્વિટ કરીને સદગદના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી શોક વ્યક્ત કર્યો છે.
પોરબંદરના પૂર્વ સાંસદ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાના અવસાનના સમાચાર સાંભળી દુઃખ થયું. ગુજરાતે એક સક્ષમ ખેડૂત નેતા ગુમાવ્યા છે. સહકાર, કેળવણી અને રાજકીય ક્ષેત્રમાં પ્રદાન બદલ તેઓ હંમેશા યાદ રહેશે.
— Narendra Modi (@narendramodi) July 29, 2019
ADVERTISEMENT
સદગતના આત્માને પ્રભુ ચિર શાંતિ અર્પે અને શુભેચ્છકો અને પરિવારજનોને આઘાત સહન કરવાનું બળ મળે એવી પ્રભુને પ્રાર્થના.
— Narendra Modi (@narendramodi) July 29, 2019
આ ઉપરાંત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે.
Saddened by the demise of senior BJP leader Shri Vitthalbhai Radadiya. I express my deepest condolences to his family and friends.
— Vijay Rupani (@vijayrupanibjp) July 29, 2019
Om Shanti...
તો રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પણ ટ્વિટ કરીને સદગતના આત્માના શાંતિ માટે પ્રાર્થના કરી છે.
Deeply saddened to know about the sad demise of former #Loksabha MP and the strong leader of #Saurashtra Shri Vitthalbhai Radadiya. May Lord Dwarkadheesh bless the departed soul with eternal peace. My feelings are with the bereaved family. @ijayeshradadiya pic.twitter.com/dB2uYvl7lp
— Parimal Nathwani (@mpparimal) July 29, 2019