Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > પાટીદારોનું પણ બંધારણ હોવું જોઈએ: હાર્દિક પટેલ

પાટીદારોનું પણ બંધારણ હોવું જોઈએ: હાર્દિક પટેલ

20 July, 2019 07:57 AM IST | અમદાવાદ

પાટીદારોનું પણ બંધારણ હોવું જોઈએ: હાર્દિક પટેલ

હાર્દિક પટેલ

હાર્દિક પટેલ


બે દિવસ પહેલાં ઠાકોર સમાજ દ્વારા સમાજ માટે નવ મુદ્દાનું બંધારણ બનાવ્યું. જેમાં અપરીણિત યુવતીઓએ મોબાઇલ નહીં વાપરવાનો અને વડીલોની પરવાનગી વિના ઘરેથી ભાગી જઈને લગ્ન કરનારા યુવક-યુવતીના પરિવારે દંડ ભરવાના મુદ્દાના કારણે ખાસ્સો વિવાદ પણ થયો. જોકે આ વિવાદાસ્પદ બન્ને મુદ્દા પર વાત કરવાનું ટાળીને પાટીદાર અનામત આંદોલન સમિતિના ચેરમેન હાર્દિક પટેલે કહ્યું હતું કે બંધારણો હોવા જોઈએ, એમાં કંઈ ખોટું નથી. પાટીદાર સમાજ માટે પણ બંધારણ હોવું જોઈએ, જેથી યુવાનો પર અમુક અંશે બંધનો આવે.

આ પણ વાંચો : વડોદરામાં ત્રણ કલાક સુધી ભેંસે મચાવી દોડધામ



હાર્દિક પટેલે કહ્યું હતું કે અનુશાસન જરૂર છે. જો કોઈ જાતના બંધન ન હોય તો માણસ છાકટો થઈ જાય. એવું બને નહીં એટલે પણ નિયમ હોવા જોઈએ. જો પરિવારમાં નિયમો બનાવવામાં આવે તો વધારે સારું પણ જો પરિવારને બદલે સમાજ નિયમો બનાવે તો એમાં કશું ખોટું નથી.


Whatsapp-channel Whatsapp-channel

20 July, 2019 07:57 AM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK