ધાનાણીનું ટ્વિટ, ‘રણચંડીના રૂપ સમાન ‘આશાપુરા’,ઉપર મને હજુય આશા’
પરેશ ધાનાણી
આશાબહેન પટેલ ગમે ત્યારે ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. ત્યારે વિપક્ષના નેતા અને કોંગ્રેસના અગ્રણી નેતા પરેશ ધાનાણીએ ટ્વિટ કરીને આડકતરી રીતે આશાબહેનને અપીલ કરી છે.
પરેશ ધાનાણીએ ટ્વિટ કરીને સવાલ કર્યો છે કે, 'સ્વાર્થ જીતશે કે સ્વાભિમાન?' પરેશ ધાનાણીએ ટ્વિટમાં લખ્યું છે.
ADVERTISEMENT
""સ્વાથૅ જીતશે કે સ્વાભિમાન""
રણચંડીના રૂપ સમાન "આશાપુરા"
ઉપર મને હજુય આશા છે..,
જનાદેશનો ઉલાળિયો કરીને નવરા
થઇ ગયેલાં નેતાઓની નાતમાં વધુ
એકનો ઉમેરો કરવાની ભાજપાની
આશા ઠગારી નિવડે એવી અપેક્ષા.!
""સ્વાથૅ જીતશે કે સ્વાભિમાન""
— Paresh Dhanani (@paresh_dhanani) February 2, 2019
રણચંડીના રૂપ સમાન "આશાપુરા"
ઉપર મને હજુય આશા છે..,
જનાદેશનો ઉલાળિયો કરીને નવરા
થઇ ગયેલાં નેતાઓની નાતમાં વધુ
એકનો ઉમેરો કરવાની ભાજપાની
આશા ઠગારી નિવડે એવી અપેક્ષા.!
જય જય ગરવી ગુજરાત.
આ પણ વાંચો : અમદાવાદઃએરપોર્ટ પર બોમ્બના મેસેજથી અફરાતફરી
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ધારાસભ્ય આશાબહેન પટેલે શનિવારે અચાનક પક્ષ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. ભાજપે 2019ની લોકસભા ચૂંટણીમાં મહેસાણા અને પાટણ જિલ્લામાં પાટીદાર આંદોલનના કારણે ઊભા થયેલા સામા પૂર સ્થિતિને ખાળવા માટે આશાબેનમાં નવી આશા દેખાઈ રહી હોવાની ચર્ચા છે. જોકે, આશાબેને ભાજપમાં જોડાવવાની કોઈ જ જાહેરાત હજી કરી નથી.