Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ધાનાણીનું ટ્વિટ, ‘રણચંડીના રૂપ સમાન ‘આશાપુરા’,ઉપર મને હજુય આશા’

ધાનાણીનું ટ્વિટ, ‘રણચંડીના રૂપ સમાન ‘આશાપુરા’,ઉપર મને હજુય આશા’

03 February, 2019 02:03 PM IST |

ધાનાણીનું ટ્વિટ, ‘રણચંડીના રૂપ સમાન ‘આશાપુરા’,ઉપર મને હજુય આશા’

પરેશ ધાનાણી

પરેશ ધાનાણી


આશાબહેન પટેલ ગમે ત્યારે ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. ત્યારે વિપક્ષના નેતા અને કોંગ્રેસના અગ્રણી નેતા પરેશ ધાનાણીએ ટ્વિટ કરીને આડકતરી રીતે આશાબહેનને અપીલ કરી છે.

પરેશ ધાનાણીએ ટ્વિટ કરીને સવાલ કર્યો છે કે, 'સ્વાર્થ જીતશે કે સ્વાભિમાન?' પરેશ ધાનાણીએ ટ્વિટમાં લખ્યું છે.



""સ્વાથૅ જીતશે કે સ્વાભિમાન""
રણચંડીના રૂપ સમાન "આશાપુરા"
ઉપર મને હજુય આશા છે..,
જનાદેશનો ઉલાળિયો કરીને નવરા
થઇ ગયેલાં નેતાઓની નાતમાં વધુ
એકનો ઉમેરો કરવાની ભાજપાની
આશા ઠગારી નિવડે એવી અપેક્ષા.!



 

આ પણ વાંચો : અમદાવાદઃએરપોર્ટ પર બોમ્બના મેસેજથી અફરાતફરી

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ધારાસભ્ય આશાબહેન પટેલે શનિવારે અચાનક પક્ષ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. ભાજપે 2019ની લોકસભા ચૂંટણીમાં મહેસાણા અને પાટણ જિલ્લામાં પાટીદાર આંદોલનના કારણે ઊભા થયેલા સામા પૂર સ્થિતિને ખાળવા માટે આશાબેનમાં નવી આશા દેખાઈ રહી હોવાની ચર્ચા છે. જોકે, આશાબેને ભાજપમાં જોડાવવાની કોઈ જ જાહેરાત હજી કરી નથી.

Whatsapp-channel Whatsapp-channel

03 February, 2019 02:03 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK