Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બળાત્કારનો ભોગ બનેલી મહિલાના ઘરે તો નહીં જ જાઉં : પંકજા

બળાત્કારનો ભોગ બનેલી મહિલાના ઘરે તો નહીં જ જાઉં : પંકજા

19 December, 2014 03:25 AM IST |

બળાત્કારનો ભોગ બનેલી મહિલાના ઘરે તો નહીં જ જાઉં : પંકજા

બળાત્કારનો ભોગ બનેલી મહિલાના ઘરે તો નહીં જ જાઉં : પંકજા



pankaja-munde


મહિલાઓની સમસ્યાઓના નિવારણ વિશેનો અભિગમ સ્પષ્ટ કરતાં રાજ્યનાં મહિલા અને બાળવિકાસ ખાતાનાં પ્રધાન પંકજા મુંડેએ જણાવ્યું હતું કે ‘જે મહિલા પર બળાત્કાર થયો હોય તે મહિલા આઘાતમાં હોય છે. તેને આઘાતમાંથી બહાર કાઢવાની જરૂર હોય છે. અસરગ્રસ્ત મહિલાને કેવી રીતે મદદ રૂપ થઈ શકાય એવા પ્રયત્નો કરીશ. તેના ઘરે જઈને દેખાડો કરવાની નથી.’

આ મહિલાઓનું આત્મસન્માન જાળવવાની જરૂરિયાત દર્શાવતાં પંકજા મુંંડેએ જણાવ્યું હતું કે ‘અસરગ્રસ્ત મહિલાને સમાજમાં ફરી આત્મવિશ્વાસથી જીવવાની મોકળાશ મળે અને તેની ઓળખ જાહેર ન થાય એની તકેદારી રાખવી જરૂરી છે. કોઈ પ્રધાન તેના ઘરે જાય ત્યારે આખો કાફલો લઈને જાય છે. એ સ્થિતિમાં તે મહિલાની અંગતતા અને વ્યક્તિગત સ્વાતંhયને આંચ આવી શકે. એ સમજીને બળાત્કારથી અસરગ્રસ્ત મહિલાને ઘરે નહીં જવાનો નિર્ણય લીધો છે. હું આવી ઘટનાઓ વિશે જાણ્યા પછી એ મહિલાને મદદરૂપ થવાના પૂરેપૂરા પ્રયત્નો કરીશ.’


Whatsapp-channel Whatsapp-channel

19 December, 2014 03:25 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK