Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સોનિયા ગાંધીના પુત્રમોહથી કૉન્ગ્રેસ તબાહ થઈ રહી છે: પંકજ શંકર

સોનિયા ગાંધીના પુત્રમોહથી કૉન્ગ્રેસ તબાહ થઈ રહી છે: પંકજ શંકર

04 November, 2019 02:48 PM IST | નવી દિલ્હી

સોનિયા ગાંધીના પુત્રમોહથી કૉન્ગ્રેસ તબાહ થઈ રહી છે: પંકજ શંકર

પંકજ શંકર

પંકજ શંકર


ગાંધી પરિવારની અત્યંત નિકટ મનાતા અને વર્ષોથી પરિવારની પડખે રહેલા નેતા પંકજ શંકરે પણ હવે રાહુલ ગાંધીની આકરી ઝાટકણી કાઢી છે.

એક ચૅનલ સાથેની વાતચીતમાં શંકરે એક પછી એક નિવેદનમાં રાહુલ ગાંધી પર આરોપો મૂકીને ખળભળાટ મચાવી દીધો છે. કૉન્ગ્રેસની રણનીતિ ઘડવામાં છેલ્લાં ૨૭ વર્ષથી મહત્વનો ભાગ ભજવી રહેલા શંકરે કહ્યું છે કે સોનિયા ગાંધીના પુત્રમોહમાં કૉન્ગ્રેસ બરબાદ થઈ રહી છે.



રાહુલ ગાંધી એક વિદ્યાર્થી છે અને તેઓ હજી સુધી પ્રયોગો જ કરી રહ્યા છે. તેમના પ્રયોગોથી કૉન્ગ્રેસ તબાહ થઈ રહી છે. રાહુલ ગાંધીનો વાસ્તવિકતા સાથે કોઈ સબંધ જ નથી. તેઓ કૉન્ગ્રેસને ખતમ કરી રહ્યા છે.


રાહુલ ગાંધીના મીડિયા મૅનેજર રહી ચૂકેલા શંકરે કહ્યું હતું કે પ્રિયંકા ગાંધીમાં પાર્ટી અધ્યક્ષ બનાવવા માટેની કાબેલિયત છે, પણ રાહુલ ગાંધી તેમનો રસ્તો રોકી રહ્યા છે.

પ્રિયંકા ગાંધીના નામથી બીજેપી જ નહીં, પણ આરએસએસનું નાગપુર હેડક્વૉર્ટર પણ ડરે છે. તેઓ ઇચ્છતા નથી કે પ્રિયંકા ગાંધી અધ્યક્ષ બને. રાહુલ ગાંધીનો કાર્યકરો સાથેનો સંવાદ પણ નથી રહ્યો જેનાથી લોકો કૉન્ગ્રેસ છોડી રહ્યા છે. કોઈને કૉન્ગ્રેસ છોડવાનું ગમતું નથી, પણ રાહુલ ગાંધી કાર્યકરોને મળવા જ નથી માગતા.


Whatsapp-channel Whatsapp-channel

04 November, 2019 02:48 PM IST | નવી દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK