Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > હંદવાડામાં એન્કાઉન્ટર: બે આતંકવાદી ઠાર, કર્નલ-મેજર સહિત 5 જવાનો શહીદ

હંદવાડામાં એન્કાઉન્ટર: બે આતંકવાદી ઠાર, કર્નલ-મેજર સહિત 5 જવાનો શહીદ

04 May, 2020 09:59 AM IST | Handwara
Agencies

હંદવાડામાં એન્કાઉન્ટર: બે આતંકવાદી ઠાર, કર્નલ-મેજર સહિત 5 જવાનો શહીદ

હંદવાડામાં એન્કાઉન્ટર

હંદવાડામાં એન્કાઉન્ટર


જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં સેના અને આંતકીઓ વચ્ચે અથડામણમાં થઈ. તેમાં સેનાના ૨૧ રાષ્ટ્રીય રાઇફલ્સના કમાન્ડિંગ ઑફિસર આશુતોષ શર્મા અને મૂળ પુણેના મેજર અનુજ સૂદ સહિત પાંચ જવાન શહીદ થયા છે. આ અથડામણમાં સેનાએ બે વિદેશી આતંકીઓને ઠાર કર્યા છે. શહીદોમાં એક કર્નલ, એક મેજર, બે સેનાના જવાન અને એક જમ્મુ-કાશ્મીર પોલીસ સબ-ઇન્સ્પેકટર સામેલ છે. મળતી માહિતી પ્રમાણે શનિવારથી જ અથડામણ ચાલી રહી હતી. આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતીના આધારે નોર્થ કાશ્મીરના એક ઘરમાં સેનાના જવાનોએ હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ ઘરના સભ્યોને બંધક બનાવી રાખ્યા હતા. તેઓને બચાવવા માટે સેના અને પોલીસની ટીમ ગઈ હતી. આ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. અહીં હવે ફાયરિંગ થોભ્યું છે પરંતુ સેનાનું ઓપરેશન હજુ ચાલુ છે.

આ અથડામણમાં શહીદ થનાર કર્નલ આશુતોષ સાથે મેજર અનુજ, સબ ઇસ્પેક્ટર શકીલ કાઝી, એક લાન્સ નાયક અને એક રાઇફલમૅનનો સમાવેશ થાય છે. આ અથડામણ હંદવાડાના છાંજીમુલ્લાહ ગામમાં શનિવાર બપોરે ત્રણ વાગ્યે શરૂ થઈ હતી. ૨૧ રાષ્ટ્રીય રાઇફલ્સના કમાંડિંગ ઑફિસર કર્નલ આશુતોષ શર્માને ગત વર્ષે બીજી વાર સેના મેડલ મળ્યો હતો. તેઓ ગાડ્‌ર્સ રેજિમેન્ટમાંથી હતા અને અલ્હાબાદના રહેવાસી હતા.


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2020 09:59 AM IST | Handwara | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK