પાક.એ પરમાણું હથિયાર લઈ જવામાં સક્ષમ મિસાઇલ શાહીન-1નું કર્યું પરિક્ષણ
પાકિસ્તાને સોમવારે સતહથી સતહ સુધી મારો કરવામાં સક્ષમ શાહીન-1 મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યું. પરમાણુ હથિયાર લઈ જવામાં સક્ષણ આ મિસાઇલની મારક ક્ષમતા 650 કિલોમીટર છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે ટ્વીટ કરીને આની માહિતી આપી. સેના પ્રવક્તાએ જણાવ્યું કે આ મિસાઇલનું પરિક્ષણ પાકિસ્તાની સેનાના સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડે કરી છે. આ મિસાઇલને હત્ફ-4ના નામે પણ ઓળખવામાં આવે છે.
ગફૂરે મિસાઇલનો એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે આ મિસાઇલના પરિક્ષણનો ઉદ્દેશ્ય પાકિસ્તાની સેનાના રણનૈતિક કમાન્ડની ઑપરેશનલ તૈયારીઓને પારખવું હતું. તેમણે કહ્યું કે આના દ્વારા પાકિસ્તાનની વિશ્વસનીય ન્યૂનતમ પ્રતિરોધ ક્ષમતાને તપાસવામાં આવ્યું છે. પાકિસ્તાનની આ મિસાઇલના ક્ષેત્રમાં ભારતના લગભગ બધાં વિસ્તારો આવશે. પાકિસ્તાને આ મિસાઇલનું પરિક્ષણ ક્યા કર્યું છે, તે હજી સુધી સ્પષ્ટ નથી થયું.
ADVERTISEMENT
Pakistan successfully conducted training launch of SSBM
— DG ISPR (@OfficialDGISPR) November 18, 2019
Shaheen-1 capable of delivering all types of warheads upto range of 650 KMs. Launch was aimed at testing operational readiness of Army Strategic Forces Command (ASFC) ensuring Pakistan’s credible minimum deterrence. pic.twitter.com/xXynslmjLt
ઑગસ્ટમાં ગજનવી મિસાઇલનું કર્યું હતું પરિક્ષણ
આ પહેલા પાકિસ્તાને ઑગસ્ટ મહિનામાં ગજનવી મિસાઇલનું પરિક્ષણ કર્યું હતું. જણાવીએ કે બે દિવસ પહેલા જ ભારતે 2,000 કિલોમીટર સુધીની રેન્જમાં દુશ્મનને મારી પાડવાની સક્ષમ અગ્નિ-2 બલિસ્ટિક મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યું હતું. ન્યૂક્લિયર હથિયારોને લઈ જવામાં સક્ષમ આ મિસાઇલનું પરિક્ષણ રાતના સમયે કરવામાં આવ્યું. આ મિસાઇલનું ગયા વર્ષે પરિક્ષણ કરવામાં આવ્યું હતું, પણ પહેલી વાર આ રાતે લૉન્ચ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : સાદગી અને સુંદરતાનો પર્યાય છે Dia Mirza, આ તસવીરો છે પુરાવો
ન્યૂક્લિયર હથિયારોને લઈ જવામાં સક્ષમ આ મિસાઇલની રેન્જને જરૂરિયાત પડવા પર 3,000 કિલોમીટર સુધી વધારી શકાય છે. આ પહેલી તક છે, જ્યારે ભારતે રાતના સમયે કોઇક મિસાઇસનું પરિક્ષણ કર્યું છે. સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડે આ પરિક્ષણ ઓરિસ્સાના એપીજે અબ્દુલ કલામ દ્વીપ પર કર્યું. ભારતમાં સુરક્ષા માટે આ મિસાઇલના સામેલ થવાથી સુરક્ષાને નવા આયામો મળ્યા છે.