પાકિસ્તાને ભારતને સોપી 261 ભારતીય કેદીઓની યાદી
પ્રતીકાત્મક તસવીર
પાકિસ્તાને પોતાની જેલોમાં બંધ 261 ભારતીય કેદીઓની યાદી સોમવારે ભારતીય ઉચ્ચાયોગને સોંપી છે. આ કેદીઓમાં 52 સામાન્ય નાગરિકો છે જ્યારે 2019 માછીમારો છે. પાકિસ્તાનના વિદેશ વિભાગે એક નિવેદનમાં કહ્યું હતું કે, આ પગલું બન્ને દેશો વચ્ચે 21 મે 2008ના થયેલી સમજૂતીના કારણે લેવામાં આવ્યું છે. પાકિસ્તાન સરકારે ઈસ્લામાબાદ સ્થિત ભારતીય ઉચ્ચાયોગને 261 કેદીઓની યાદી સોંપી છે.'
ભારત સરકારે પણ પોતાની જેલોમાં બંધ પાકિસ્તાની કેદીઓની યાદી જાહેર કરી હતી. આ યાદી નવી દિલ્હીમાં પાકિસ્તાની ઉચ્ચાયોગને સોપવામાં આવી હતી. સમજૂતી પ્રમાણે ભારત અને પાકિસ્તાન વર્ષમાં 2 વાર એટલે કે પ્રતિ 6 મહિને 1 જાન્યુઆરી અને 1 જુલાઈએ કેદીઓની યાદીની લેવડ-દેવડ કરશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: પાકિસ્તાને ભારતને સોપી 261 ભારતીય કેદીઓની યાદી