Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > પાકિસ્તાને 17 ભારતીય માછીમારોને પકડ્યા, લગાવ્યો આ આરોપ

પાકિસ્તાને 17 ભારતીય માછીમારોને પકડ્યા, લગાવ્યો આ આરોપ

28 February, 2021 04:07 PM IST | Pakista
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પાકિસ્તાને 17 ભારતીય માછીમારોને પકડ્યા, લગાવ્યો આ આરોપ

ફાઈલ તસવીર (તસવીર સૌજન્ય - જાગરણ)

ફાઈલ તસવીર (તસવીર સૌજન્ય - જાગરણ)


પાકિસ્તાને પોતાના જળ ક્ષેત્રની સીમાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવીને 17 ભારતીય માછીમારોને પકડી લીધા છે. તેમની ત્રણ બોટને પણ જપ્ત કરવામાં આવી હતી. પાકિસ્તાનની મેરીટાઈમ સુરક્ષા એજન્સીએ જણાવ્યું છે કે આ માછીમારોને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે અને પોલીસને સોંપી દેવામાં આવ્યા છે.

પાકિસ્તાનના અધિકારીનું કહેવું છે કે જ્યારે આ લોકો પાકિસ્તાનની સીમામાં પ્રવેશ કરી રહ્યા હતા, ત્યારે તેમને ચેતવણી પણ આપવામાં આવી હતી, પરંતુ તેઓએ તેમની વાત સાંભળી નહી. આ ઘટના પાકિસ્તાની જળ ક્ષેત્રમાં સર ક્રીકની છે. આ માછીમારોને કરાચીની જેલમાં મોકલવામાં આવ્યા છે. એક વર્ષ પહેલા પણ પાકિસ્તાને 23 માછીમારોને પકડ્યા હતા અને તેમની ચાર બોટ જપ્ત કરી લીધી હતી.



ભારત અને પાકિસ્તાન બન્ને જ માછીમારોની ધરપકડ કરતા રહ્યા છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે અરબ સાગરમાં સીમાને લઈને સહી અંદાજો નહીં લગાવી શક્યા. માછીમારો તકનીકી રીતે તેમનું ચોક્કસ સ્થાન જાણવા માટે સક્ષમ નહોતા. લાલફીતાશાહી અને ન્યાયિક પ્રક્રિયામાં વિલંબના કારણે ઘણી વખત માછીમારોને એક-એક વર્ષ સુધી જેલમાં કેદ કરવાની ફરજ પડે છે.


Whatsapp-channel Whatsapp-channel

28 February, 2021 04:07 PM IST | Pakista | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK