Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પાકિસ્તાનના એજન્ટો નકલી સાધુ-સંતના સ્વાંગમાં ફરી રહ્યા છે

પાકિસ્તાનના એજન્ટો નકલી સાધુ-સંતના સ્વાંગમાં ફરી રહ્યા છે

11 November, 2019 12:11 PM IST | New Delhi

પાકિસ્તાનના એજન્ટો નકલી સાધુ-સંતના સ્વાંગમાં ફરી રહ્યા છે

ભારતીય સેના(પ્રતિકાત્મક તસવીર)

ભારતીય સેના(પ્રતિકાત્મક તસવીર)


ભારતીય સેનાના જવાનોને જાસૂસીની જાળમાં ફસાવવા માટે અત્યાર સુધી પાકિસ્તાન સુંદર મહિલાઓનો ઉપયોગ કરતું હતું. હવે પાકિસ્તાને નવો જ રસ્તો અખત્યાર કર્યો છે.
સેનાએ પોતાના જવાનોને નકલી સાધુ-સંતોથી સાવધ રહેવાની ચેતવણી આપી છે. સાધુ-સંતોના વેશમાં તે પાકિસ્તાની એજન્ટ પણ હોઈ શકે છે એવું સેનાનું કહેવું છે.
એક અહેવાલમાં કહેવાયું છે કે પાકિસ્તાનના જાસૂસો સંવેદનશીલ જાણકારી મેળવવા માટે સાધુ-સંતનો વેશ ધારણ કરીને જવાનોને અને તેમના પરિવારને પોતાની તરફ આકર્ષી રહ્યા છે. પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા આઇએસઆઇ દ્વારા હવે આ નવો રસ્તો અપનાવાયો છે.
સૈન્ય અધિકારીઓના કહેવા પ્રમાણે પાકિસ્તાની જાસૂસો સૈનિકોને ફસાવવા માટે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. સેનાએ આવાં ૧૫૦ સોશ્યલ મીડિયા અકાઉન્ટની ઓળખ કરી છે. આ અકાઉન્ટ પાકિસ્તાની જાસૂસોના હોઈ શકે છે. સેનાએ પોતાના જવાનોને સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે સાવધ રહેવાની ચેતવણી આપી છે. પાકિસ્તાની એજન્ટો સેનાના ઉચ્ચ અધિકારીઓના મોબાઇલ-નંબર મેળવવા માટે પણ ધમપછાડા કરી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

11 November, 2019 12:11 PM IST | New Delhi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK