Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જાલનામાં અંતિમ સંસ્કારમાં ગયેલા ૨૦૦માંથી ૬૬ કોરોના પૉઝિટિવ થયા

જાલનામાં અંતિમ સંસ્કારમાં ગયેલા ૨૦૦માંથી ૬૬ કોરોના પૉઝિટિવ થયા

05 December, 2020 10:37 AM IST | Mumbai
Agencies

જાલનામાં અંતિમ સંસ્કારમાં ગયેલા ૨૦૦માંથી ૬૬ કોરોના પૉઝિટિવ થયા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્રના જાલના વિસ્તારમાં એક ગામમાં હેલ્થ વર્કર્સની ચેતવણીને અવગણીને બસોથી વધુ લોકો કોઈના અંતિમ સંસ્કારમાં સહભાગી થયા હતા. મોટા ભાગના લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો.
ટેસ્ટ દરમ્યાન ૬૬ વ્યક્તિ કોરોના પૉઝિટિવ નીકળી હતી. જાલના તાલુકાના ખાનપુરી ગામની વસતિ ફક્ત ૧૭૦૦ લોકોની છે. ગામના પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રના સંચાલક શકીલ રહેમાનીએ આ માહિતી આપતાં કહ્યું કે નવેમ્બરની ૨૫મીએ એક વ્યક્તિનું મરણ થયું હતું એની સ્મશાનયાત્રામાં સમજાવટ છતાં કોરોના અગમચેતીનું પાલન કરાયું નહોતું. બસોથી વધુ લોકો આ સ્મશાનયાત્રામાં જોડાયા હતા. એમાંના ૬૬ને કોરોનાનો ચેપ લાગ્યો હતો.
સમગ્ર જિલ્લાની વાત કરીએ તો અત્યાર સુધીમાં ૧૨,૦૦૦થી વધુ લોકોને ચેપ લાગ્યો હતો. અત્યાર સુધીમાં ૩૨૩થી વધુ લોકોનાં મરણ થયાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

05 December, 2020 10:37 AM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK