Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પાકિસ્તાનની સેનાએ એલઓસી નજીક ભારે ગોળીબાર કર્યો, એક જવાન શહીદ

પાકિસ્તાનની સેનાએ એલઓસી નજીક ભારે ગોળીબાર કર્યો, એક જવાન શહીદ

09 November, 2019 10:10 AM IST | Jammu and Kashmir

પાકિસ્તાનની સેનાએ એલઓસી નજીક ભારે ગોળીબાર કર્યો, એક જવાન શહીદ

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


પાકિસ્તાન સરહદ ઉપર નાપાક કરતૂતો બંધ કરવાનું નામ જ નથી લઈ રહ્યું. પાકિસ્તાની સેનાએ એલઓસી નજીક ભારે ગોળીબાર કર્યો છે. આ હુમલામાં ભારતીય સેનાનો એક સૈનિક શહીદ થઈ ગયો છે. સેનાના પીઆરઓએ જણાવ્યું કે પાકિસ્તાને પૂંચ ખાતે ક્રિષ્નાઘાટી સેક્ટરમાં રાત્રે ૨.૩૦ કલાકે સીઝફાયરનો ભંગ કર્યો છે. સરહદ પર પાકિસ્તાને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.
પાકિસ્તાનની આવી શરમજનક કરતૂતનો ભારતે પણ જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતની જવાબી કાર્યવાહી દરમ્યાન પાકિસ્તાની સેનાને પણ ભારે નુકસાન થયું હોવાની જાણકારી મળી છે. નોંધનીય છે કે શિયાળાની શરૂઆત થતાની સાથે જ આતંકવાદીઓને કવર ફાયર કરવા માટે પાકિસ્તાની સેના અવારનવાર ભારતીય ચોકીઓ પર ગોળીબાર અને બૉમ્બ બ્લાસ્ટ કરી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

09 November, 2019 10:10 AM IST | Jammu and Kashmir

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK