OMG: પતિ જે ભિખારીને રોજ આપતો હતો ટિફિન, તે નીકળ્યો પત્નીનો આશિક
પ્રતીકાત્મક તસવીર
પ્રેમ કોઈને ક્યારે અને કેવી રીતે થાય એ કોઈ દિવસ નક્કી હોતું નથી, પરંતુ ઘણીવાર પ્રેમના એવા કિસ્સા જોવા મળે છે, જે સાંભળીને કોઈપણ આશ્ચર્યચકિત થઈ જાય છે. આવો જ એક અજીબ કિસ્સો આજે અમે તમને જણાવવાના છીએ, જેમાં પત્ની પતિને રોજ સવારે વહેલી ઉઠીને ટિફિન બનાવીને આપતી હતી અને એ ટિફિનને રસ્તા પર બેસેલા એક ભિખારીને આપી દેતો હતો. બાદ જે થયું એ અત્યંત આઘાતજનક હતું.
આ વાતની જાણ જ્યારે પત્નીને થઈ ત્યારે પત્નીએ ઘણો ચોંકાવનારો નિર્ણય લઈ લીધો અને તેના પતિને છોડીને તેણે એ ભિખારી સાથે લગ્ન કરી લીધા હતા.
ADVERTISEMENT
આ સત્ય ઘટના ઉત્તર પ્રદેશની છે. જ્યા એક પરિવારમાં શ્રાવસ્તી નામની એક મહિલા પોતાના પતિ આશિષ સાથે રહેતી હતી. આ આખો કિસ્સો એવો છે કે શ્રાવસ્તીનો પતિ આશિષ રોજ સવારે કામ પર જવા નીકળે ત્યારે પત્ની એના માટે રોજ સવારે ટિફિન બનાવી આપતી હતી. ત્યારે આશિષની પત્ની તેને દરરોજ ટિફિનમાં એક પ્રકારનું બનાવેલું દૂધીનું શાક આપતી હતી, પરંતુ આશિષ એવું કઈ બોલતો નહતો.
સતત વીસ દિવસ સુધી એક જ પ્રકારનું શાક આપવા છતાં પતિ કંટાળતો નહોતો અને કઈ બોલતો પણ નહોતો, તેથી શ્રાવસ્તીને તેના પતિ ઉપર શંકા ગઈ. આશિષ ઑફિસ જતો ત્યારે દરરોજ એ શાકના ડબ્બાને રસ્તામાં બેસેલા એક ભિખારીને આપી દેતો હતો.
એક દિવસ આશિષની પત્ની શ્રાવાસ્તીને શંકા થવાને કારણે તેણે આશિષનો પીછો કર્યો અને આશિષે જેવો શાકનો ડબ્બો રસ્તા પર બેસેલા ભિખારીને આપ્યો તરત જ શ્રાવસ્તીએ આશિષને રંગે હાથ પકડી લીધો.
આશિષ આ અંગે કઈ સ્પષ્ટતા કરે એ પહેલા જ તે ભિખારીએ આકાશ તરફ જોઈને રોમાન્ટિક અંદાજનાં શાયરી બોલી રહ્યો હતો. અને પછી શું થયું? આશિષની પત્ની શ્રાવસ્તીને એવું લાગ્યું આ તો મારા નાનપણને પ્રેમ મને પાછો મળી ગયો. એ જ સમયે શ્રીવાસ્તીએ આશિષ સાથે છૂટાછેડા લઈ લીધા અને મંદિરમાં જઈને એ ભિખારી સાથે લગ્ન કરી લીધા. હાલ તેઓ બન્ને આ મંદિરની બહાર બેસીને ભીખ માંગે છે.
આપણે હંમેશા એવું સાંભળતા આવ્યા છીએ કે પ્રેમ આંધળો હોય છે, રૂપ અને રંગ જોયા વગર એક નજરમાં જ થઈ જાય છે. પરંતુ આવી વાર્તા આપણે પહેલીવાર સાંભળીએ છીએ, ક્યારેક તો આપણને આવી વાતો પર વિશ્વાસ નથી હોતો, પણ આ એક સત્ય ઘટના છે, જે ઉત્તર પ્રદેશમાં બની છે.