Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સંતાનવિહોણા ખેડૂતે સંતાન તરીકે વાછરડાને દત્તક લીધું અને...

સંતાનવિહોણા ખેડૂતે સંતાન તરીકે વાછરડાને દત્તક લીધું અને...

19 December, 2020 07:33 AM IST | Uttar Pradesh

સંતાનવિહોણા ખેડૂતે સંતાન તરીકે વાછરડાને દત્તક લીધું અને...

વાછરડાને દત્તક લીધું આ કપલે

વાછરડાને દત્તક લીધું આ કપલે


આપણે ગાયને માતા માનીએ છીએ તો એના વાછરડાને પુત્ર ગણીને દત્તક કેમ ન લઈ શકાય એવું માનતાં ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં રહેતાં વિજયપાલ અને રાજેશ્વરીદેવીનાં લગ્નને ૧૫ વર્ષ વીત્યા છતાં કોઈ સંતાન ન થતાં તેમણે ઘરની ગાયના વાછરડા લાલટુબાબાને દત્તક લઈ બુધવારે એના મુંડન-સમારોહનું આયોજન કર્યું હતું.

મુંડન માટે લાલટુબાબાને ગોમતી નદીને કિનારે લઈ જવાયો હતો, જ્યાં પૂજારીએ શાસ્ત્રોક્ત વિધિથી તેની મુંડનવિધિ કરી લાલટુબાબા અને એનાં માતા-પિતાને આશીર્વાદ આપ્યા હતા. આ મુંડન-સમારોહમાં આસપાસના ગામના લોકોએ હાજરી આપી લાલટુબાબાને ભેટ અને આશીર્વાદ આપ્યા હતા.



વિજયપાલ જણાવે છે કે મેં હંમેશાં લાલટુબાબાનો ઉછેર મારા દીકરાની જેમ જ કર્યો હતો. મારા પિતાના મૃત્યુ અને બહેનોનાં લગ્ન પછી હું ખૂબ એકલતા અનુભવી રહ્યો હતો.


મારા પિતાએ પાળેલી ગાયના વાછરડા લાલટુબાબાને મેં એના જન્મથી જ ખૂબ પ્રેમથી ઉછેર્યો હતો એથી ગાય મૃત્યુ પામતાં અમે એના વાછરડાને દત્તક લેવાનો નિર્ણય લીધો હતો.


Whatsapp-channel Whatsapp-channel

19 December, 2020 07:33 AM IST | Uttar Pradesh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK