સાયન્ટિસ્ટોએ બનાવી છે ઍટમિક વોડકા
ઍટમિક વોડકા
૧૯૮૬માં યુક્રેનમાં આવેલી ચેર્નોબિલ પરમાણુ ભઠ્ઠીમાં થયેલી વિનાશકારી તબાહી પછી એ વિસ્તારમાં દૂર-દૂર સુધી રેડિયોઍક્ટિવિટી રહી ગઈ હોવાનું મનાતું હતું. ત્યાંની હવા જ નહીં, પાણી અને જમીનમાંથી ઊગતા અનાજમાં પણ એના અવશેષો હોવાનું મનાતું. જોકે વર્ષો બાદ એક ખાસ વોડકા બનાવવામાં આવી છે જેને ઍટમિક વૉડકા કહેવામાં આવે છે. ચેર્નોબિલના જે પાવર પ્લાન્ટને એમ જ રેઢો મૂકી દેવામાં આવ્યો હતો એની આજુબાજુની જમીનમાં ઊગાડેલા અનાજ અને સ્થાનિક જળસ્રોતોનો ઉપયોગ કરીને ખાસ વૉડકા બનાવવામાં આવી છે અને એની પર અનેક સંશોધકો કામે લાગ્યા છે.
આ પણ વાંચો : 11 મહિનાની બાળકીના માથે ઊગી છે બલૂન જેવી ગાંઠ
ADVERTISEMENT
શું એ વૉડકામાં રેડિયોઍક્ટિવિટી છે? એની તપાસ માટે બ્રિટનની યુનિવર્સિટી ઑફ પોર્ટ્સમાઉથના સંશોધક પ્રોફેસર જિમ સ્મિથે લાંબા અભ્યાસ પછી સર્ટિફિકેટ આપ્યું છે કે આ વૉડકામાં પણ સાદી વૉડકા જેટલી જ રેડિયોઍક્ટિવ છે, એથી જરાય વધુ નહીં. અભ્યાસકર્તાઓ એ સમજવાની કોશિશ કરી રહ્યા છે કે પરમાણુ ભઠ્ઠી ફાટવાથી થયેલા વિનાશની અસરો હવે સ્થાનિક પર્યાવરણમાં કેટલી રહી છે. હવા, પાણી અને જમીનમાં એના અવશેષો નહીંવત રહ્યા હોવાની વાતો ચર્ચાય છે.