શિવાજી મહારાજનું પૉર્ટ્રેટ રચીને મુંબઈના ઍનિમેટરે વિશ્વવિક્રમ કર્યો
છત્રપતિ શિવાજી મહારાજનું મોઝેઇક પૉર્ટ્રેટ
મુંબઈના ઍનિમેશન-આર્ટિસ્ટ નીતિન દિનેશ કાંબળેએ છત્રપતિ શિવાજી મહારાજનું મોઝેઇક પૉર્ટ્રેટ રચીને વિશ્વનિક્રમ કર્યો છે. અંધેરીના આ કલાકારે શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે ૧૦ દિવસમાં જુદા-જુદા ૬ રંગના પ્લાસ્ટિકના ૪૬,૦૮૦ ટુકડા વડે ૧૦X૭ ફુટનું પૉર્ટ્રેટ રચ્યું છે. ભુવનેશ્વરથી કાચો માલ ખરીદીને એના પર ૬ જુદા-જુદા રંગ કર્યા હતા. સવારે ફુલટાઇમ નોકરી કરીને રાતે પૉર્ટ્રેટ રચનારા કલાકારની મહેનત લેખે લાગી છે. તેના નામે વિશ્વવિક્રમ નોંધાયો છે.