આ ઉદ્યોગપતિએ ઘરમાં પત્નીની મીણની પ્રતિમા સ્થાપી
ઘરમાં પત્નીની મીણની પ્રતિમા સ્થાપી આ ભાઈએ
૨૦૧૭ના વર્ષમાં કર્ણાટકના બિઝનેસમૅન શ્રીનિવાસ મૂર્તિ તેમનાં પત્ની અને બે દીકરીઓ સાથે તિરુપતિ બાલાજી મંદિરમાં ભગવાન વેન્કટેશનાં દર્શન કરીને ઘરે પાછા આવતા હતા ત્યારે ભયાનક રોડ-ઍક્સિડન્ટ થયો હતો. જોકે એ હાદસામાં દીકરીઓ બચી ગઈ હતી, પરંતુ તેમનાં પત્ની માધુરી મૃત્યુ પામ્યાં હતા. દીકરીઓને થોડી ઈજા થઈ હતી. આ ઘટના ઘટી એના ઘણા વખત પહેલાંથી એ પરિવારનું નવો બંગલો બાંધવાનું આયોજન હતું. હમણાં નવો બંગલો તૈયાર થઈ ગયો એ પછી એમાં પત્નીની હયાતીનો અહેસાસ સતત થતો રહે એ માટે બિઝનેસમૅને એમાં પત્નીની પ્રતિમા સ્થાપી છે.
ADVERTISEMENT
ઘણાં વર્ષોથી મોટા બંગલામાં રહેવાનું શ્રીનિવાસ મૂર્તિ અને તેમનાં પત્ની માધુરીનું સ્વપ્ન હતું. એ બાબતનો બંગલાના આર્કિટેક્ટ મહેશ રંગાનાદાવરુએ ઘરમાં આવનાર દરેકને માધુરી કેવાં દેખાતાં હતાં એનો અહેસાસ થાય એ રીતે પ્રતિમા ઘડી છે. ઘરના સોફા પર મૃદુ સ્મિત સાથે બેઠેલી મહિલાએ ગુલાબી-સોનેરી રંગની સાડી પહેરી હોય અને તેના વાળમાં ફૂલો પણ નાખ્યાં હોય એ દૃશ્ય સૌને જીવંત લાગે છે. આઠમી ઑગસ્ટે નવા બંગલાનું હાઉસ વૉર્મિંગ ફંક્શન થયું એમાં આમંત્રિત મહેમાનો ઘરનાં માલિકણ ભાભીજીની મૂર્તિ જોઈને આશ્ચર્ય પામી ગયા હતા. સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર તેમની તસવીરોને પણ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો.