Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ ગામમાં લોકો પરિવારજનોને ઘરના આંગણામાં જ દફનાવે છે

આ ગામમાં લોકો પરિવારજનોને ઘરના આંગણામાં જ દફનાવે છે

21 June, 2019 08:39 AM IST | ઉત્તર પ્રદેશ

આ ગામમાં લોકો પરિવારજનોને ઘરના આંગણામાં જ દફનાવે છે

આ ગામમાં લોકો પરિવારજનોને ઘરના આંગણામાં જ દફનાવે છે

આ ગામમાં લોકો પરિવારજનોને ઘરના આંગણામાં જ દફનાવે છે


ઉત્તર પ્રદેશના આગરા પાસેના અછનેરા બ્લૉક પાસેના છ પોખરા ગામમાં લગભગ ૫૦ મુસ્લિમ પરિવારોનાં ઘર છે. આ તમામ ઘર કબ્રસ્તાનમાં ત‌બદિલ થઈ ચૂક્યાં છે. સમસ્યા એ છે કે ગામમાં કબ્રસ્તાન છે જ નહીં અને એને કારણે લોકો પોતાના પરિવારજનોના મૃતદેહ ઘરના વાડામાં દફનાવવા માટે મજબૂર છે. થોડાં વર્ષો પહેલાં ગામને કબ્રસ્તાન માટે જમીનનો થોડો ટુકડો ફાળવવામાં આવ્યો હતો, પરંતુ એ જમીન તળાવની વચ્ચોવચ હતી.

લોકો આંગણા કે વાડામાં જ કબરની ઉપર ચણતર કરી લેતા આવ્યા છે. અલબત્ત, જેમના પરિવારમાં ચાર-પાંચ લોકોનાં મોત થયાં હોય તેમને માટે તો હવે વાડામાં પણ જગ્યા ખૂટી પડી છે. ઘરમાં જ્યાં જમવાનું બનાવવાનો ચૂલો પેટાવ્યો હોય એની બાજુમાં જ કબર હોય છે.



આ પણ વાંચો: કરોળિયો આખેઆખા ઉંદરને ગળી ગયો


ઘણાં ઘરોમાં મહેમાનોને બેસાડવા માટેના ઓટલા તરીકે કબરનો ઉપયોગ થવા લાગ્યો છે. પોતાના જ પરિવારજનોની કબર પર દરરોજ બેસવાનું અને ચાલવાનું મૃતકના અપમાન બરાબર છે એવું લોકો સમજે છે અને છતાં તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી. આ ગામના પરિવારો ગરીબ અને ભૂમિહીન હોવાથી તેમને પરિવારજનોને દફનાવવાની સમસ્યા બહુ કનડે છે, પરંતુ પ્રશાસનને તેમની સમસ્યામાં કોઈ રસ નથી.


Whatsapp-channel Whatsapp-channel

21 June, 2019 08:39 AM IST | ઉત્તર પ્રદેશ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK