IAS અધિકારીએ રિઝલ્ટ બતાવીને કહ્યું, આંકડા તમારું ભવિષ્ય નક્કી નથી કરતા
IAS અધિકારી
જ્યારે પણ પરીક્ષાનું પરિણામ આવે ત્યારે ઓછા માર્ક્સ આવશે અને લોકો શું કહેશે એની ચિંતા સ્ટુડન્ટ્સને બહુ સતાવતી હોય છે. જાણે આ પરીક્ષાનું રિઝલ્ટ જ તેમના જીવનનું ભવિષ્ય છે એવું લાગવા લાગે છે. હાલમાં રિઝલ્ટની સીઝન છે ત્યારે એક આઇએએસ ઑફિસરે પોતાની માર્કશીટ શૅર કરીને તમામ સ્ટુડન્ટ્સને સંદેશો આપવાની કોશિશ કરી છે કે માત્ર માર્કશીટના આંકડા તમારું ભવિષ્ય નક્કી નથી કરતા.
ADVERTISEMENT
ભવિષ્યની યોજનાઓ વિશે વિચાર કરવાને સ્થાને તેઓ પરિણામ કેવું આવશે કેટલા ટકા આવશે એવી જ ચિંતા કરતા હોય છે. આઇએએસ ઑફિસર નીતિન સાંગવાને તેમની માર્કશીટ બતાવીને બાળકોને એ સમજાવવાની કોશિશ કરી છે કે માર્કશીટ પરના માર્ક્સના આંકડા તમને પરિભાષિત નથી કરતા.
આ પણ વાંચો : બાળકો પાસે ઇન્ટરનેટ નથી એટલે આ ટીનેજર ઝાડ નીચે બેસીને ભણાવે છે બાળકોને
નીતિન સાંગવાને પોતાને બારમા ધોરણમાં કેમિસ્ટ્રીમાં ઓછા માર્ક્સ સ્કોર કર્યા હતા અને તેમણે સ્ટુડન્ટ્સ માટે સંદેશો આપ્યો હતો કે બોર્ડનાં પરિણામો કરતાં જીવન વધુ મહત્ત્વ ધરાવે છે પરિણામ નબળું આવતા સ્ટુડન્ટ્સે નિરાશાની ગર્તામાં સરી જવાની જરૂર નથી.