Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > વરસાદ ખમૈયા કરે એ માટે દેડકા-દેડકીનાં ડિવૉર્સ કરાવાયા

વરસાદ ખમૈયા કરે એ માટે દેડકા-દેડકીનાં ડિવૉર્સ કરાવાયા

15 September, 2019 09:12 AM IST | મધ્ય પ્રદેશ

વરસાદ ખમૈયા કરે એ માટે દેડકા-દેડકીનાં ડિવૉર્સ કરાવાયા

વરસાદ ખમૈયા કરે એ માટે દેડકા-દેડકીનાં ડિવૉર્સ કરાવાયા

વરસાદ ખમૈયા કરે એ માટે દેડકા-દેડકીનાં ડિવૉર્સ કરાવાયા


મધ્ય પ્રદેશમાં બે મહિના પહેલાં આ વર્ષે સારો વરસાદ પડે એવી પ્રાર્થના સાથે દેડકા અને દેડકીનાં લગ્ન લેવાયાં હતાં. જોકે આ વખતે વરસાદે માઝા મૂકતાં પૂર જેવી સ્થિતિ પેદા થઈ છે. હવે વધુપડતો વરસાદ આવતો અટકે એ માટે લોકો હવે જેનાં લગ્ન કરાવાયેલાં એ દેડકા-દેડકીનાં ડિવોર્સ કરાવ્યા હતા. ભોપાલના ઇન્દ્રપુરીમાં ઓમ શિવશક્તિ મંડળે થોડા દિવસ પહેલાં દેડકા-દેડકીના છુટાછેડા કરાવ્યા હતા. આ મંડળના એક સભ્યે કહ્યું હતું કે, ‘અમારી પ્રાર્થના સફળ થઈ.

લગ્ન પછી મધ્ય પ્રદેશમાં બરાબર વરસાદ થયો. જોકે હવે વધુ વરસાદ પડશે તો એ વિનાશકારી હશે. હવે કોઈ પણ ભોગે વરસાદને રોકવા માટે બન્નેના છુટાછેડા કરાવવામાં આવ્યા છે.’



આ પણ વાંચો : બદામના છોડ ચરી જવા બદલ બે બકરીઓને પોલીસે અરેસ્ટ કરી


દેડકાંઓનાં લગ્ન ભારતમાં કંઈ પહેલી વાર નથી થયાં. કેટલાય પ્રદેશોમાં લોકો માને છે કે દેડકા-દેડકીનાં લગ્ન કરાવવાથી ઇન્દ્ર દેવ ખુશ થાય છે, જોકે વરસાદ ખમૈયા કરે એ માટે એના ડિવોર્સ કરાવવાનું કદાચ પહેલી વાર થયું છે.


Whatsapp-channel Whatsapp-channel

15 September, 2019 09:12 AM IST | મધ્ય પ્રદેશ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK