Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દુર્યોધન મંદિરમાં ભક્તે ચડાવી 101 ઓલ્ડ મન્ક દારૂની બૉટલો

દુર્યોધન મંદિરમાં ભક્તે ચડાવી 101 ઓલ્ડ મન્ક દારૂની બૉટલો

20 March, 2019 01:09 PM IST | કેરળ

દુર્યોધન મંદિરમાં ભક્તે ચડાવી 101 ઓલ્ડ મન્ક દારૂની બૉટલો

દુર્યોધન મંદિરમાં 101 ઓલ્ડ મન્ક રમની બૉટલ ચડાવી

દુર્યોધન મંદિરમાં 101 ઓલ્ડ મન્ક રમની બૉટલ ચડાવી


કેરળના કોલ્લમમાં દુર્યોધન મંદિર આવેલું છે. આ મંદિરમાં લોકો દારૂની બૉટલો ચડાવી જાય છે. ગયા શુક્રવારે મંદિરમાં વાર્ષિકોત્સવ હતો. આ પ્રસંગે એક ભક્તે ૧૦૧ ઓલ્ડ મન્ક રમની બૉટલ ચડાવી હતી. આ અનોખા મંદિરનું નામ છે પોરુવઝી પેરુવથી મલનાડ દુર્યોધન મંદિર. દક્ષિણ ભારતનું આ એકમાત્ર એવું મંદિર છે જ્યાં દુર્યોધનને ભગવાન માનીને તેની મૂર્તિને દારૂની બૉટલો ચડાવી શકાય છે. એવી માન્યતા છે કે આ ગામમાં એક વાર દુર્યોધન આવ્યા હતા અને તેમને બહુ જ તરસ લાગી હતી. ગામના એક ઘરે જઈને તેમણે પાણી માગ્યું તો એના બદલામાં તેમને થોડીક તાડી મળી. એ પીને દુર્યોધન બહુ ખુશ થયા હતા.

મંદિરના સંચાલકનું કહેવું છે કે ‘પહેલાં અહીં અરક ચડાવવામાં આવતી હતી, પરંતુ એના પર પ્રતિબંધ લાગતાં દુર્યોધનના મંદિરમાં વિદેશી દારૂ જ ચડાવાય છે. એ ઉપરાંત લોકો પાન, ચિકન, બકરી અને સિલ્કનું કપડું પર ચઢાવા રૂપે મૂકી જાય છે. દરેક ધર્મના લોકો આ મંદિરે આવે છે અને દેવતાને ખુશ કરવા માટે ભેટ ચડાવે છે. દુર્યોધનના આ મંદિરની બીજી ખાસિયત એ છે કે અહીં ગર્ભગૃહ નથી, અહીં માત્ર એક ઊંચું પ્લૅટફૉર્મ છે જે ૨૪ કલાક ખુલ્લું રહે છે.’


Whatsapp-channel Whatsapp-channel

20 March, 2019 01:09 PM IST | કેરળ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK