Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જગન્નાથ મંદિર આજથી ખુલશે, હાલ ફક્ત પુરીના લોકોને જ અંદર પ્રવેશની મંજૂરી

જગન્નાથ મંદિર આજથી ખુલશે, હાલ ફક્ત પુરીના લોકોને જ અંદર પ્રવેશની મંજૂરી

23 December, 2020 11:35 AM IST | Odisha
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

જગન્નાથ મંદિર આજથી ખુલશે, હાલ ફક્ત પુરીના લોકોને જ અંદર પ્રવેશની મંજૂરી

જગન્નાથ મંદિર. તસવીર સૌજન્ય - જાગરણ

જગન્નાથ મંદિર. તસવીર સૌજન્ય - જાગરણ


ઑડિશાના પુરી શહેરમાં પ્રસિદ્ધ જગન્નાથ મંદિરના દ્વાર બુધવારથી ભક્તો માટે ખુલી ગયા છે, નવ મહિનાથી પ્રશાસને કોરોના વાઈરસ રોગચાળાના કારણે તમામ પૂજાસ્થળો બંધ કરી દીધા હતા. હવે એક લાંબા સમય બાદ મંદિર ફરીથી ખુલી રહ્યું છે. જોકે મંદિર એક સાવધાની અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખોલવામાં આવશે. જગન્નાથ મંદિરના પુજારીઓની સર્વોચ્ચ સંસ્થા બાદ આ નિર્ણય લેવામાં આવશે, રાજ્ય સરકારને એક પ્રસ્તાવ મોકલવામાં આવશે, જેમાં 12મીં સદીના મંદિરને ફરીથી ખોલવાના પર નિર્ણય લેવામાં આવ્યો છે.

શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન (SJTA)ના મુખ્ય પ્રશાસક ડૉ કૃષ્ણ કુમારે કહ્યું કે પુરીના ભક્તોને પહેલા તબક્કામાં પાંચ દિવસ માટે મંજૂરી આપવામાં આવશે, જેના બાદ રાજ્યના બાકી જગ્યાઓ પરથી આવનારા લોકો મંદિરમાં દર્શન કરી શકશે. ડૉ કૃષ્ણ કુમારે કહ્યું, તમામ ભક્તો માટે મંદિર 3 જાન્યુઆરીથી ખુલ્લું કહેવાની આશા છે. 3 જાન્યુઆરીથી મંદિરમાં પ્રવેશ માટે કોવિડ-19 નેગેટિવ રિપોર્ટ ફરજિયાત રહેશે અને મંદિરના સેવકો અને SJTAના કર્મચારીઓ માટે ઓળખપત્ર રહેવું જોઈએ.



3 જાન્યુઆરીથી વધુમાં વધુ 5 હજાર શ્રદ્ધાળુઓને દર્શન કરવા દેવાશે. તીર્થ નગરીમાં નવાવર્ષના દિવસે ભક્તોની ભીડની સંભાવનાને ધ્યાનમાં રાખીને 1 અને 2 જાન્યુઆરીએ મંદિર બંધ રહેશે. આ મહિનાની શરૂઆતમાં, સંબંધિત રાજ્ય પંચે કોવિડ -19 પ્રોટોકોલને સખત રીતે અનુસરતા ઑડિશા મંદિરો ફરીથી ખોલવાની ભલામણ કરી હતી. જગન્નાથ મંદિરના ફરીથી ખોલવાની સાથે અપેક્ષા છે કે આવતા મહિને રાજ્યભરના બાકીના મંદિરો પણ ખોલવામાં આવશે.


ભુવનેશ્વરમાં હાલમાં 700 મંદિરો છે, જેની ચારેતરફ શહેરનું ધાર્મિક જીવન ફરે છે. રાજ્યની રાજધાની માત્ર પ્રવાસીઓ માટે જ નહીં પણ યાત્રાળુઓ માટે પણ એક મુખ્ય સ્થળ છે. શ્રી લિંગરાજા મંદિર, અનંત વાસુદેવ મંદિર, મુક્તેશ્વર મંદિર, બ્રહ્મેશ્વર મંદિર અને રાજરાણી મંદિર રાજ્યની રાજધાનીમાં હિન્દુઓ માટેનું એક પ્રખ્યાત ધાર્મિક સ્થળ છે.


Whatsapp-channel Whatsapp-channel

23 December, 2020 11:35 AM IST | Odisha | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK