Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > હવે તમે ક્રુઝની મજા ગુજરાતમાં જ માણી શકશો, તૈયાર થઇ રહ્યો છે પ્લાન

હવે તમે ક્રુઝની મજા ગુજરાતમાં જ માણી શકશો, તૈયાર થઇ રહ્યો છે પ્લાન

12 November, 2019 12:00 PM IST | Gandhinagar

હવે તમે ક્રુઝની મજા ગુજરાતમાં જ માણી શકશો, તૈયાર થઇ રહ્યો છે પ્લાન

ક્રુઝની સેવા ગુજરાતમાં થશે શરૂ (PC : MSN)

ક્રુઝની સેવા ગુજરાતમાં થશે શરૂ (PC : MSN)


ઘણા ગુજરાતીઓનું સ્વપ્ન હશે કે તે ક્રુઝમાં બેસીને મુસાફરી કરે. તો ઘણા લોકો ક્રુઝની સફર કરી પણ આવ્યા હશે. પણ હવે જો તમારે ક્રુઝમાં જવુ હોય તો વિદેશ જવાની જરૂર નથી. તમારૂ સ્વપ્ન હવે ગુજરાતમાં જ પુરૂ થઇ જશે. હા, તમે બરોબર વાંચી રહ્યા છો. ગુજરાતના દરિયા કાંઠે ક્રુઝની સુવિધા મળશે તેની માહિતી મળી રહી છે.

જાણો, ગુજરાતમાં ક્યા વિસ્તારમાં ક્રુઝની સુવીધા ઉભી થશે
મળી રહેલ માહિતી પ્રમાણે ગુજરાતના દરિયા કાઠે ક્રુઝની સુવિધા ઉભી થઇ રહી છે. એટલે ટુંક સમયમાં લાખો ગુજરાતીઓનું સ્વપ્ન પુરૂ થઇ જશે. ગુજરાતના દરિયા કાંઠે દ્વારકા, પોરબંદર અને સોમનાથ જેવા પ્રવાસન કેન્દ્રો પર ક્રુઝની સુવિધા ઉભી કરવામાં આવી શકે છે. તો ગુજરાત સહિત મહારાષ્ટ્ર, કેરણ અને લક્ષ્યદ્વીપમાં પણ ક્રુઝની સુવિધા ઉભી કરવાનો કેન્દ્રીય શિપીંગ મંત્રાલય પ્લાન બનાવી રહ્યું છે.

મુંબઇથી દિવ ક્રુઝની સેવા શરૂ થશે
: કેન્દ્રીય શિપીંગ મંત્રાલય
કેન્દ્રીય શિપીંગ મંત્રાલયને પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્‍યુ છે કે મુંબઈ સ્‍થિત ક્રુઝ ઓપરેટર એન્‍ગ્રીયા ટૂંક સમયમાં ભારતના નાણાકીય કેપીટલ એટલે કે મુંબઈથી દિવ વચ્‍ચે આવતા મહિનાથી ક્રુઝ સેવા શરૂ કરવાની છે. તેમણે જણાવ્‍યુ હતુ કે ગયા સપ્તાહે એન્‍ગ્રીયા ક્રુઝના માલિકો મુંબઈ ખાતે મને મળ્‍યા હતા અને અમોએ ક્રુઝ ટુરીઝમ વિકસાવવા અંગે વાતચીત કરી હતી. ડિસેમ્‍બરથી આ કંપનીએ મુંબઈ અને દિવ વચ્‍ચે ક્રુઝ સેવા શરૂ કરવાની તૈયારી દર્શાવી હતી. અત્રે એ નોંધનીય છે કે આવતા થોડા દિવસોમાં હજીરા-બાંદ્રા વચ્‍ચે ફેરી સર્વિસ શરૂ થશે. શિપીંગ મંત્રાલય દહેજ અને મુંબઈ વચ્‍ચે પણ આવી સેવા શરૂ કરવા પ્રાઈવેટ ફેરી ઓપરેટરોના સંપર્કમાં છે.

આ પણ જુઓ : ગુજરાત પાસે આવેલા આ કેન્દ્ર શાસિત પ્રદેશોની તમારે ચોક્કસ લેવી જોઈએ મુલાકાત

પોરબંદર, વેરાવળ, દીવ અને દમણને જોડે તેવો પ્લાન તૈયાર થશે

ગુજરાતમાં ક્રુઝ ટુરીસ્‍ટ સર્કિટ કે જે પોરબંદર, દ્વારકા, વેરાવળ, દીવ અને દમણને જોડે તેવો પ્‍લાન ઘડવામાં આવ્‍યો છે. અત્રે નોંધનીય છે કે 2012-13 થી દ્વારકા, સોમનાથ, પોરબંદર અને માંડવી ખાતે પ્રવાસીઓનો પ્રવાહ વધી રહ્યો છે અને 2015-16 સુધીમાં આ ચારેય સ્‍થળો પર 3.4 મિલીયન પ્રવાસીઓ આવ્‍યા હતા. દરમિયાન ગુજરાત મેરીટાઈમ બોર્ડે મુંદ્રા, માંડવી, ઓખા, વેરાવળ અને જામનગર ખાતે ક્રુઝ ટર્મિનલના બાંધકામ માટેના ટેન્‍ડરો પણ જારી કરી દીધા છે. કુલ 5 બંદરોએ આવા ટર્મિનલો બનશે.


Whatsapp-channel Whatsapp-channel

12 November, 2019 12:00 PM IST | Gandhinagar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK