મમતા બૅનરજીની યુવાનોને ડાયેટિંગ ન કરવાની અપીલ
યુવાનોએ ડાયેટિંગ કરવાનો વિચાર પણ ન કરવો જોઈએ અને એને બદલે ભરપૂર પ્રમાણમાં ખોરાક અને પાણી લેવાં જોઈએ.’
આંકડા પ્રમાણે પશ્ચિમબંગમાં ડેન્ગીના ઓછામાં ઓછા ૬૪૩ કેસ નોંધાયા છે જેમાંથી ૮૦ ટકા કિસ્સાઓ કલકત્તા અને એની આસપાસના વિસ્તારમાં નોંધાયા છે. નોંધનીય છે કે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અમેરિકી અખબાર ‘વૉલ સ્ટ્રીટ જર્નલ’ને એક મુલાકાતમાં ડાયેટિંગ વિશે કમેન્ટ કરતાં કહ્યું હતું કે ગુજરાતની છોકરીઓને તેમની હેલ્થ કરતાં ફિગર જાળવવાની વધારે ચિંતા છે જે એક મોટો પડકાર છે. મોદીના આ નિવેદનને કારણે મોટો વિવાદ ઊભો થયો હતો.