Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > બિનઅનામત વર્ગને વયમર્યાદામાં છૂટછાટ, 45 વર્ષ સુધી મળશે લાભ

બિનઅનામત વર્ગને વયમર્યાદામાં છૂટછાટ, 45 વર્ષ સુધી મળશે લાભ

22 February, 2019 06:45 PM IST | ગાંધીનગર

બિનઅનામત વર્ગને વયમર્યાદામાં છૂટછાટ, 45 વર્ષ સુધી મળશે લાભ

બિનઅનામત વર્ગને વયમર્યાદામાં છૂટછાટ, 45 વર્ષ સુધી મળશે લાભ


બિનઅનામત વર્ગને હવે વયમર્યાદામાં પણ છૂટ મળશે. રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લેતા બિન અનામત વર્ગના ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળશે. સરકારના આ નિર્ણયને કારણે 45 વર્ષની ઉંમર સુધીના લોકોને છૂટછાટ મળશે. 

ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી રાજ્ય સરકાર બિન અનામત વર્ગના લોકોને એસસી, એસટીની જેમ વયમર્યાદામાં છૂટછાટ આપવા અંગે વિચારી રહી હતી. આ મામલે સરકાર બિન અનામત વર્ગના લોકો સાથે ચર્ચા પણ કરી રહી હતી. સાથે જ 10 ટકા અનામત મળે છે, તો અન્ય અનામતની જેમ વયમર્યાદામાં પણ લાભ મળે તેવી માગ ઉઠી હતી.



આ પણ વાંચોઃ સવર્ણોને 10% અનામત પર હાલ રોક નહીં, SCએ કેન્દ્રને આપી નોટિસ


ત્યારે આખરે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં સરકારી નોકરીઓમાં બિન અનામત વર્ગના લોકોને 5 વર્ષની છૂટછાટ આપવાની જાહેરાત કરાઈ છે. રાજ્ય સરકારનો આ નિર્ણય આગામી જાહેરાતોથી લાગુ થશે.


Whatsapp-channel Whatsapp-channel

22 February, 2019 06:45 PM IST | ગાંધીનગર

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK