બિનઅનામત વર્ગને વયમર્યાદામાં છૂટછાટ, 45 વર્ષ સુધી મળશે લાભ
બિનઅનામત વર્ગને હવે વયમર્યાદામાં પણ છૂટ મળશે. રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લેતા બિન અનામત વર્ગના ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળશે. સરકારના આ નિર્ણયને કારણે 45 વર્ષની ઉંમર સુધીના લોકોને છૂટછાટ મળશે.
ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી રાજ્ય સરકાર બિન અનામત વર્ગના લોકોને એસસી, એસટીની જેમ વયમર્યાદામાં છૂટછાટ આપવા અંગે વિચારી રહી હતી. આ મામલે સરકાર બિન અનામત વર્ગના લોકો સાથે ચર્ચા પણ કરી રહી હતી. સાથે જ 10 ટકા અનામત મળે છે, તો અન્ય અનામતની જેમ વયમર્યાદામાં પણ લાભ મળે તેવી માગ ઉઠી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સવર્ણોને 10% અનામત પર હાલ રોક નહીં, SCએ કેન્દ્રને આપી નોટિસ
ત્યારે આખરે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં સરકારી નોકરીઓમાં બિન અનામત વર્ગના લોકોને 5 વર્ષની છૂટછાટ આપવાની જાહેરાત કરાઈ છે. રાજ્ય સરકારનો આ નિર્ણય આગામી જાહેરાતોથી લાગુ થશે.