Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ગાંધી પરિવાર સિવાય કોઈ અધ્યક્ષ બનશે તો પાર્ટી ભાંગી પડશે: નટવર સિંહ

ગાંધી પરિવાર સિવાય કોઈ અધ્યક્ષ બનશે તો પાર્ટી ભાંગી પડશે: નટવર સિંહ

23 July, 2019 09:26 AM IST | નવી દિલ્હી

ગાંધી પરિવાર સિવાય કોઈ અધ્યક્ષ બનશે તો પાર્ટી ભાંગી પડશે: નટવર સિંહ

નટવર સિંહ

નટવર સિંહ


રાહુલ ગાંધીએ કૉન્ગ્રેસ અધ્યક્ષપદ પરથી રાજીનામું આપી દીધા બાદ પાર્ટીનું નેતૃત્વ કોણ કરશે તે મામલે હજી પણ સવાલો ઉદ્ભવી રહ્યા છે. પરંતુ કેટલાક લોકો આ પદ માટે પ્રિયંકા ગાંધી વાડ્રાનું સમર્થન કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે જો પાર્ટીની કમાન ગાંધી પરિવાર સિવાયની કોઈ વ્યક્તિના હાથમાં સોંપવામાં આવશે તો પાર્ટી વેર-વિખેર થઈ શકે છે. 

ભૂતપૂર્વ વિદેશ પ્રધાન નટવર સિંહે કહ્યું કે તેમનામાં હવે પાર્ટીને સંભાળવાની સક્ષમતા જોવા મળે છે. પરિવાર સાથે મળવાની પરવાનગી નહીં આપવા છતાં પણ તેઓ ત્યાં જ રોકાઈ રહ્યા અને તેઓ જે કરવા માગતા હતા તે થયા બાદ જ પરત ફર્યા.
એક ઈન્ટરવ્યુમાં નટવર સિંહને પૂછવામાં આવ્યું કે શું પ્રિયંકા ગાંધી વાડ્રાને કૉન્ગ્રેસ અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવશે. તેનો જવાબ આપતા તેમણે કહ્યું કે આ બાબત પ્રિયંકા વાડ્રા પર આધાર રાખે છે, કારણ કે તેમના ભાઈ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ગાંધી પરિવારમાંથી હવે કોઈ પણ વ્યક્તિ કૉન્ગ્રેસ અધ્યક્ષ નહીં બને.



આ પણ વાંચો : કર્ણાટકના ધારાસભ્યોની અરજી પર આજે સુપ્રીમ કૉર્ટમાં વધુ સુનાવણી


હવે ગાંધી પરિવારે પોતાનો આ નિર્ણય બદલવો પડશે અને આવું ફક્ત તેઓ જ કરી શકે છે, તેમના સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિ તેમનો નિર્ણય બદલાવી શકવા માટે સક્ષમ નથી. ભૂતપૂર્વ વિદેશ પ્રધાન નટવર સિંહે કહ્યું કે આ એક ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ વાત છે કે દેશની ૧૩૪ વર્ષ જૂની પાર્ટી પાસે પાર્ટી અધ્યક્ષ જ નથી.


Whatsapp-channel Whatsapp-channel

23 July, 2019 09:26 AM IST | નવી દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK