BJPના નેતાઓ પર આતંકવાદી હુમલાની કોઈ જાણકારી નથી : સુશીલકુમાર
BJPના પ્રવક્તા સીતારમણે મિડિયાના કેટલાક રિપોર્ટને ટાંકતાં કહ્યું હતું કે ‘ઇન્ટેલિજન્સ બ્યુરોનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે BJPના તમામ નેતાઓના માથે ખતરો છે જેને કારણે ઘણી ચિંતા થાય છે. ચૂંટણીપ્રચાર માટે નેતાઓ દેશભરમાં ફરી રહ્યા છે. શું સરકાર આ રિપોર્ટના આધારે યોગ્ય પગલાં લઈ રહી છે ખરી?’