મુંબઈ સહિત છ શહેરોમાંથી 6થી 19 જુલાઈ સુધી કોલકાતાની ફ્લાઈટ્સ બંધ
કોલકાતા એરપોર્ટની ફાઈલ તસવીર
કોલકાતા માટે દિલ્હી, મુંબઈ, નાગપુર, ચેન્નઇ, અમદાવાદ અને પુણેથી 6 થી 19 જુલાઇ સુધી વિમાન સેવા બંધ કરવામાં આવી છે. 14 દિવસ માટે તમામ ફદલઈટ્સ બંધ કરવામાં આવી છે. આ બાબતે કોલકાતા એરપોર્ટે ટ્વિટ કરીને માહિતી આપી હતી.
It is informed that no flights shall operate to Kolkata from Delhi,Mumbai, Pune, Nagpur,Chennai & Ahmedabad from 6th to 19th July 2020 or till further order whichever is earlier. Inconvenience caused is regretted.@AAI_Official @MoCA_GoI @ushapadhee1996 @HardeepSPuri @arvsingh01
— Kolkata Airport (@aaikolairport) July 4, 2020
ADVERTISEMENT
વિમાન સેવા બંધ કરવાનો નિર્ણય શા કારણે લેવામાં આવ્યો છે તે અંગે હજુ સ્પષ્ટતા કરવામા આવી નથી. જોકે અગાઉ બંગાળ સરકારે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને અમુક ફ્લાઇટ્સ બંધ કરવા માટે કેન્દ્ર સરકારને અપીલ કરી હતી. તેથી શક્યતા છે કે તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામા આવ્યો હોય.