Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ ઈન્ડિયન્સની જીત પાછળ નીતા અંબાણીના કયા મંત્રનો જાદૂ!

મુંબઈ ઈન્ડિયન્સની જીત પાછળ નીતા અંબાણીના કયા મંત્રનો જાદૂ!

15 May, 2019 02:29 PM IST |

મુંબઈ ઈન્ડિયન્સની જીત પાછળ નીતા અંબાણીના કયા મંત્રનો જાદૂ!

IPL 2019ની ચોથી ટ્રોફી સાથે મુંબઈ ઈન્ડિયન્સ

IPL 2019ની ચોથી ટ્રોફી સાથે મુંબઈ ઈન્ડિયન્સ


આઈપીએલ 2019ની 12મી સીઝનમાં ચોથી જીત બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સેલિબ્રેશન મૂડ ઓન થઈ ગયો છે. મુંબઈ ઈન્ડિયન્સની જીત પાછળ પ્લેયર્સે ખૂબ મહેનત કરી હતી. ચેન્નઈ સામે રમાયેલી ફાઈનલમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા પરંતુ છેલ્લે મલિંગાના છેલ્લા બોલે વિકેટ લેતા મુંબઈ ઈન્ડિયન્સનો 1 રને વિજય થયો હતો. ટીમની જીત પાછળ પ્લેયર્સની મહેનત સાથે ટીમના માલિક નીતા અંબાણીની પ્રાર્થના પણ કામ કરી ગઈ હતી.




આઈપીએલની 12મી સીઝનમાં ચેન્નઈ સામેની ફાઈનલમાં નીતા અંબાણી ટીમની જીત માટે કોઈ મંત્રનું ઉચ્ચારણ અને પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા.

 


ચંદ્ર શેખર શર્મા, જે પંડિતજી છે, જેઓ અંબાણી પરિવાર વિશ્વાસ કરે છે તે કહે છે, 'ધાર્મિક ભૌતિક બાબતો પર તમારી શક્તિને વધારવામાં અને જીવનને વધુ વૈભવી બનાવવા માટે મદદ કરે છે.' પંડિત ચંદ્ર શેખર શર્માએ મેનએક્સપી સાથે વાત કરતા કહ્યું હતું કે, "અમે દરેક મેચ પહેલા ચંડી પાઠ કરીએ છીએ અને ફાઈનલમાં મેચની શરુઆતથી લઈને અંત સુધીમાં ચંડી પાઠ કરવામાં આવ્યા હતા. આ પાઠ તમને શક્તિ અને ઉર્જા આપે છે. આ ચંડી પાઠ તમારું નસીબ વધારવામાં મદદ કરે છે."

નીતા અંબાણીનો મંત્રનો જાપ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેને જાત જાતના રિએક્શન જોવા મળ્યા હતા. કેટલાક લોકોએ મજાક કરતા એમ પણ કહ્યું હતું કે, નીતા અંબાણી તમે વર્લ્ડ કપ પ્રવાસ પર ભારતીય ટીમ સાથે રહો.

Whatsapp-channel Whatsapp-channel

15 May, 2019 02:29 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK