ગુજરાતમાં કોરોનાના નવા સ્ટ્રેઇનની એન્ટ્રી થઈ ગઈ છે. યુકેથી ગુજરાતમાં આવેલી છેલ્લી ફ્લાઇટમાં અનેક મુસાફરો આવ્યા હતા. જેમના દ્વારા ગુજરાતમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઈ છે, ત્યારે હવે ૪ દરદીઓ સાથે અમદાવાદમાં કોરોના યુકે સ્ટ્રેનની એન્ટ્રી થઈ છે. યુકેથી આવેલા મુસાફરના રિપોર્ટમાં નવો સ્ટ્રેન જોવા મળ્યો છે. પુણે ખાતે બ્રિટનથી આવેલા મુસાફરના સૅમ્પલ પુણેની લેબમાં મોકલવામાં આવ્યા હતા. યુકેથી અમદાવાદ આવેલી છેલ્લી ફલાઇટમાં આવેલા ૪ મુસાફરોનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. તમામ ૪ દરદીઓને અલગથી એસવીપી હૉસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. યુકેથી આવેલી ફ્લાઇટના મુસાફરોમાંથી ચારને નવા સ્ટ્રેનની અસર જોવા મળી છે. યુકે અને યુરોપથી ગુજરાત આવેલા મુસાફરોમાંથી ૧૧નો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. જેમના રિપોર્ટને આગળ ચકાસણી માટે પુણે અને ગાંધીનગરની લેબમાં મોકલાયા હતા, જેમાંથી ચાર લોકોને નવા સ્ટ્રેઇનના કારણે કોરોના થયો હોવાની પુષ્ટિ થઈ છે.
કોરોના વાઇરસ બે મહિનામાં નષ્ટ થઈ જશે: જગવિખ્યાત વાઇરોલૉજિસ્ટ ડૉક્ટર જેકબ
19th January, 2021 14:11 ISTકેશોદની સ્કૂલમાં એકસાથે ૧૧ વિદ્યાર્થિનીઓ કોરોનાગ્રસ્ત
19th January, 2021 14:09 ISTકોરોનાની વૅક્સિન લીધા બાદ હૉસ્પિટલના વૉર્ડ બૉયનું મૃત્યુ
19th January, 2021 14:07 ISTCoronavirus India News: સાત મહિનામાં સૌથી ઓછા કેસ નોંધાયા, 137 લોકોનું મોત
19th January, 2021 11:59 IST