Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નિર્ભયાના દોષી વિનય શર્માએ જેલમાં સ્ટેપલ પિન ગળી જવાનો પ્રયાસ કર્યો

નિર્ભયાના દોષી વિનય શર્માએ જેલમાં સ્ટેપલ પિન ગળી જવાનો પ્રયાસ કર્યો

24 February, 2020 02:56 PM IST | New Delhi

નિર્ભયાના દોષી વિનય શર્માએ જેલમાં સ્ટેપલ પિન ગળી જવાનો પ્રયાસ કર્યો

આરોપી વિનય શર્મા

આરોપી વિનય શર્મા


નિર્ભયા ગૅન્ગરેપ અને મર્ડરના દોષી વિનય શર્માએ ફરીથી પોતાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. આ વખતે તેણે સ્ટેપલ પીન ગળવાનો પ્રયાસ કર્યો. જોકે જેલના અધિકારીઓની નજર તેના પર હતી અને તેને આમ કરતો રોકવામાં સફળ રહ્યા હતા. અધિકારી વિનયને હૉસ્પિટલ પણ લઈ ગયા જ્યાં તેની સારવાર કરવામાં આવી. થોડા દિવસ પહેલાં પણ તેણે દીવાલ સાથે માથું અથડાવીને પોતાને ઈજાગ્રસ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો.

જેલના સત્તાધીશોએ શનિવારે વિનય શર્મા અને અક્ષય ઠાકુર પરિવારના સભ્યોને નોટિસ મોકલીને દોષિતોની છેલ્લી મુલાકાત લેવા માટે આવવા કહ્યું. તિહાડના સૂત્રોએ જણાવ્યું કે મુકેશ સિંહ અને પવન ગુપ્તાના પરિવારના સભ્યોની છેલ્લી મુલાકાત ગત ડેથ વૉરન્ટના સમયે ૩૧ જાન્યુઆરીએ થઈ ગઈ હતી. જેલના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે ‘અમે અક્ષય અને વિનયને પૂછ્યું કે તે કયા દિવસે છેલ્લી મુલાકાત કરવા માગે છે? આ સિવાય દર અઠવાડિયે બેવાર નિયમિત મુલાકાતની સુવિધા પણ છે.’
જેલના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ‘ડેથ વૉરન્ટ જાહેર થયા બાદથી વિનયનો વ્યવહાર હિંસક થઈ ગયો છે.’



જેલના સત્તાધીશોએ અમારા સહયોગી ટાઇમ્સ ઑફ ઇન્ડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે જેલમાં વિનયની શારીરિક અને માનસિક હાલત સ્થિર છે. એક અધિકારીએ કહ્યું કે દોષિતો પર ૨૪ કલાક નજર રખાઈ રહી છે અને સીસીટીવી ક‘મેરા દ્વારા એ અધિકારીઓ પર પણ નજર રહે છે.


Whatsapp-channel Whatsapp-channel

24 February, 2020 02:56 PM IST | New Delhi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK