Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી બે તબક્કામાં થશે

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી બે તબક્કામાં થશે

23 February, 2021 10:47 AM IST | New Delhi/Gandhinagar
Agency

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી બે તબક્કામાં થશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રાજ્યમાં યોજાયેલી મહાનગરપાલિકાઓની સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં પરિણામની મતગણતરી એક જ દિવસે કરવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટમાં કૉર્પોરેશન અને નગરપાલિકાઓ તેમ જ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી એક જ દિવસે યોજવા માટે અરજી કરવામાં આવી હતી, પણ એ અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.  મતગણતરી ચૂંટણીપંચે જાહેર કરેલી ૨૩મીએ જ થશે. પાલિકાની ચૂંટણીની મતગણતરી ૨૩ ફેબ્રુઆરીએ થશે. અગાઉ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી એક જ તારીખે રાખવાની માગણી સાથે થયેલી અરજીને ગુજરાત હાઈ કોર્ટે પણ ફગાવી દીધી હતી. આ અરજી સંદર્ભમાં ચૂંટણીપંચે હાઈ કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કરતાં જણાવ્યું હતું કે મતગણતરી અલગ-અલગ દિવસે થાય એમાં અરજદારનો કોઈ કાનૂની કે બંધારણીય અધિકાર છીનવાતો નથી, એથી અરજદારોની પિટિશન ટકવાપાત્ર ન હોવાની રજૂઆત ચૂંટણીપંચે કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

23 February, 2021 10:47 AM IST | New Delhi/Gandhinagar | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK