DRDO વૈજ્ઞાનિક એસએસ મિશ્રાનું 72 વર્ષની વયે થયું અવસાન
DRDO વૈજ્ઞાનિક એસએસ મિશ્રા. તસવીર સૌજન્ય - જાગરણ
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ના વૈજ્ઞાનિક અને નાગ એન્ટી ટેન્ક મિસાઈલ પ્રોજેક્ટના ભૂતપૂર્વ ડિરેક્ટપ એસએસ મિશ્રાનું શનિવારે સવારે હૈદરાબાદમાં નિધન થયું છે. તેઓ 72 વર્ષના હતા.
જણાવી દઈએ કે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDO)ના 63માં સ્થાપના દિવસને થોડા દિવસો જ થયા છે. આ પ્રસંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે આત્મનિર્ભર ભારતના નિર્માણમાં ટેક્નિકલ પ્રગતિ અને ઉપલબ્ધિઓ પર દેશને ગર્વ છે.
ADVERTISEMENT
નોંધનીય છે કે ડીઆરડીઓ સંરક્ષણ મંત્રાલય હેઠળ સંશોધન અને વિકાસ શાખા છે. તેમનો ઉદ્દેશ આધુનિક સંરક્ષણ તકનીક દ્વારા દેશને સશક્ત બનાવવાનો છે. 1958માં એક નાના સંગઠન તરીકે તેની કામગીરી શરૂ કરી હતી.