Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સરકારી પૅનલે કર્યો છે દાવો, ફેબ્રુઆરી સુધીમાં કોરોના ખતમ

સરકારી પૅનલે કર્યો છે દાવો, ફેબ્રુઆરી સુધીમાં કોરોના ખતમ

19 October, 2020 01:33 PM IST | New Delhi
Agency

સરકારી પૅનલે કર્યો છે દાવો, ફેબ્રુઆરી સુધીમાં કોરોના ખતમ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારતમાં કોરોનાનું સંક્રમણ એની ચરમસીમાને વટાવી ચૂક્યું છે અને ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીમાં આ મહામારી ખતમ થઈ જશે એવું કેન્દ્ર સરકારના વૈજ્ઞાનિકોની એક પૅનલનું માનવું છે.

આ પૅનલમાં સામેલ વૈજ્ઞાનિકોની નિમણૂક સરકારે કરી છે. હાલની સ્થિતિનો અભ્યાસ કર્યા બાદ પૅનલનું કહેવું છે કે આગામી વર્ષના ફેબ્રુઆરી મહિના સુધીમાં કોરોના સંક્રમણ ખતમ થઈ જશે. ભારતમાં કોરોનાના ૧.૦૬ કરોડથી વધારે કેસ નહીં નોંધાય.



હાલમાં ભારતમાં કોરોનાના ૭૫ લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે. એક અંગ્રેજી અખબારને આ પૅનલે કહ્યું હતું કે વાઇરસથી બચવા માટે જે પણ ઉપાયો કરવામાં આવી રહ્યા છે એ ચાલુ રાખવા જોઈએ. આ પૅનલ સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે. વિજયરાઘવને બનાવી હતી, જેમાં આઇઆઇટી હૈદરાબાદના પ્રોફેસર એમ. વિદ્યાસાગર પ્રમુખ છે. સમિતિના કહેવા પ્રમાણે ભારતે જો માર્ચ મહિનામાં લૉકડાઉન લાગુ ન કર્યું હોત તો ૨૫ લાખ લોકોનાં મોત થયાં હોત. ભારતમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં ૧.૪ લાખ લોકો મોતને ભેટી ચૂક્યાં છે.


પૅનલના સભ્ય ડૉ. વી. કે. પોલે કહ્યું હતું કે છેલ્લાં ત્રણ અઠવાડિયાંમાં નવા કેસ અને મોતની સંખ્યા પણ ઘટી છે, પણ શિયાળામાં કોરોનાની બીજી લહેરની સંભાવના નકારી શકાય એમ નથી.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૬૧,૦૦૦ કેસ સામે આવ્યા છે, જ્યારે ૧૦૩૩ લોકોનાં આ સમયગાળા દરમિયાન મોત થયાં છે. દેશમાં કોરોનાના દરદીઓનો રિકવરી રેટ ૮૮ ટકા થઈ ગયો છે.


Whatsapp-channel Whatsapp-channel

19 October, 2020 01:33 PM IST | New Delhi | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK