Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > IPLની ટ્રૉફી નીતા અંબાણીએ અર્પણ કરી ભગવાન કૃષ્ણના ચરણોમાં

IPLની ટ્રૉફી નીતા અંબાણીએ અર્પણ કરી ભગવાન કૃષ્ણના ચરણોમાં

14 May, 2019 07:00 PM IST | મુંબઈ

IPLની ટ્રૉફી નીતા અંબાણીએ અર્પણ કરી ભગવાન કૃષ્ણના ચરણોમાં

નીતા અંબાણીએ ટ્રૉફી ભગવાનના ચરણોમાં અર્પણ કરી

નીતા અંબાણીએ ટ્રૉફી ભગવાનના ચરણોમાં અર્પણ કરી


મુંબઈ ઈન્ડિયન્સે ચોથી વાર IPLનો ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો છે. રોહિત શર્માએ MIને ચોથી વાર ચેમ્પિયન બનાવ્યું છે. આ ટીમના માલિક નીતા અંબાણી છે. જેઓ ઘણીવાર પોતાની ટીમનો ઉત્સાહ વધારવા પહોંચે છે. અનેક વાર એવું પણ જોવા મળ્યું છે કે જ્યારે ટીમ ફસાયેલી હોય ત્યારે નીતા અંબાણી પ્રાર્થના કરવા લાગે છે.




મુંબઈ ઈન્ડિયન્સને મળેલી જીતથી નીતા અંબાણી ખૂબ જ ખુશ છે. આ જ કારણ છે કે નીતા અંબાણી હૈદરાબાદથી પાછા આવ્યા બાદ IPLની ટ્રૉફીને લઈને મુંબઈના જુહુમાં આવેલા મંદિરે પહોંચ્યા. જ્યાં તેમણે ટ્રૉફીને ભગવાન શ્રીકૃષ્ણની સામે રાખી અને પુજારીઓ પાસે મંત્રોચ્ચાર સાથે પૂજા કરાવી.


આ પણ વાંચોઃ મુંબઈ ઈન્ડિયન્સની પલટનનું ધમાકેદાર સેલિબ્રેશન, જુઓ ફોટોઝ

મુંબઈ ઈન્ડિયન્સના ઑફિશિયલ ટ્વિટ્ટર અકાઉન્ટ પર આ વીડિયો શે કરવામાં આવ્યો છે. વીડિયોમાં નીતા અંબાણી જય શ્રી કૃષ્ણ પણ કહે છે. નીતા અંબાણી ટીમને એક પરિવારની જેમ ટ્રીટ કરે છે. અને મુંબઈની બહાર થતા મેચમાં દીકરા આકાશ સાથે જાય પણ છે.


Whatsapp-channel Whatsapp-channel

14 May, 2019 07:00 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK