વીર સાવરકર વિશેની પુસ્તિકા પાછી ખેંચવાની એનસીપીની માગણી
મહા વિકાસ આઘાડીના ઘટક પક્ષ એનસીપીએ ગઈ કાલે સેવા દળે પ્રકાશિત કરેલી સ્વતંત્રતાવીર સાવરકરનું અપમાન કરતી પુસ્તિકા પાછી ખેંચવાની માગણી કરી હતી. કૉન્ગ્રેસના નેજા હેઠળની સંસ્થા સેવા દળે પ્રકાશિત કરેલી એ વિવાદાસ્પદ પુસ્તિકામાં વીર સાવરકરની રાષ્ટ્રભક્તિ અને વીરતા સામે પણ પ્રશ્ન ઊભો કરવામાં આવ્યો છે. તે ઉપરાંત પુસ્તિકામાં સાવરકરને ગાંધીજીની હત્યા કરનારા નથુરામ ગોડસે જોડે શારીરિક સંબંધ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે જણાવ્યું હતું કે વીર સાવરકર જીવંત ન હોય ત્યારે આ પ્રકારના દાવા કરવા યોગ્ય નથી.