મોદી લહર કી સાઇડઇફેક્ટ્સ : NCP, BSP રાષ્ટ્રીય તો MNS પ્રાદેશિક પાર્ટીનું સ્ટેટસ ગુમાવશે
જોકે પવાર અને માયાવતીની પાર્ટી અનુક્રમે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં પ્રાદેશિક પાર્ટી તો રહેશે જ, પરંતુ રાજ ઠાકરેની MNS માટે પ્રાદેશિક પાર્ટી તરીકેનું સ્થાન પણ જોખમમાં આવી ગયું છે. રાષ્ટ્રીય પાર્ટીનો મોભો ગુમાવ્યા બાદ પવાર અને માયાવતીની પાર્ટી પાસેથી દિલ્હીમાં તેમને ફાળવવામાં આવેલી ઑફિસ પણ છીનવાઈ જશે. રાષ્ટ્રીય અને પ્રાદેશિક પાર્ટી તરીકેનું સ્ટેટસ જાળવી રાખવા પૉલિટિકલ પાર્ટીઓએ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં અમુક ટકા મતો અને કેટલીક સીટો જીતવી પડે છે જેમાં નિષ્ફળ જનારી પાર્ટી પાસેથી એનું સ્ટેટસ ઇલેક્શન કમિશન રદ કરે છે. રાષ્ટ્રીય કે પ્રાદેશિક પાર્ટીનું સ્ટેટસ ગુમાવનારી પાર્ટીની નિશાની પણ છીનવાઈ જાય છે.