અમરોહાની શબનમે ૨૦૦૮માં પ્રેમી સાથે મળી અડચણરૂપ બનેલા પરિવારના ૭ લોકોની કુહાડીથી કાપી હત્યા કરી હતી : નિર્ભયાકાંડના દોષીઓને ફાંસી પર લટકાવનાર પવન જલ્લાદે ફાંસીઘરની મુલાકાત લીધી.
મથુરાની જેલમાં મહિલાને ફાંસી આપવાની તૈયારી જેલ-પ્રશાસને શરૂ કરી દીધી છે. આ ફાંસી અમરોહાની મહિલા શબનમને અપાઈ શકે છે. તેણે એપ્રિલ ૨૦૦૮માં પ્રેમી સલીમ સાથે મળીને પોતાના જ પરિવારના ૭ સભ્યોની કુહાડીથી કાપીને હત્યા કરી હતી. નિર્ભયાકાંડના દોષીઓને ફાંસી પર લટકાવનાર પવન જલ્લાદે ફાંસીઘરની મુલાકાત પણ લીધી છે. જોકે ફાંસીની તારીખ હજી સુધી નક્કી કરવામાં આવી નથી. જો શબનમને ફાંસી થાય છે તો આ આઝાદ ભારતનો પ્રથમ મામલો હશે.
જોકે દોષી શબનમે સુપ્રીમ કોર્ટના ચુકાદાને પડકાર્યો હતો. જ્યાં સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને યથાવત્ રાખ્યો છે. તે પછી શબનમ-સલીમે રાષ્ટ્રપતિને દયાની અરજી મોકલી હતી. જોકે રાષ્ટ્રપતિ ભવને તેની અરજીને ફગાવી દીધી હતી. આઝાદી પછી શબનમ પ્રથમ મહિલા કેદી હશે જેને ફાંસી આપવામાં આવશે. દેશમાં માત્ર મથુરા જેલનું ફાંસીઘર એકમાત્ર છે જ્યાં મહિલાને ફાંસી આપી શકાય છે. હાલ શબનમ બરેલી, જ્યારે સલીમ આગ્રા જેલમાં છે.
મથુરા જેલમાં ૧૫૦ વર્ષ પહેલાં મહિલા ફાંસીઘર બનાવવામાં આવ્યું હતું. આઝાદી પછી અત્યાર સુધીમાં અહીં કોઈ પણ મહિલાને ફાંસીએ લટકાવવામાં આવી નથી.
અમરોહાના ગામ બાવનખેડીમાં વર્ષ ૨૦૦૮ની ૧૪-૧૫ એપ્રિલ દરમ્યાન થયેલી ઘટનાને કોઈ ભૂલ્યું નથી. અહીં શિક્ષામિત્ર શબનમે રાતે પોતાના પ્રેમી સલીમ સાથે મળીને પોતાના પિતા માસ્ટર શૌકત, માતા હાશમી, ભાઈ અનીસ અને રશીદ, ભાભી અંજુમ અને પિતરાઈ બહેન રાબિયાની કુહાડીથી કતલ કરી દીધી હતી. ભત્રીજા અર્શનું ગળું દાબીને હત્યા કરી દીધી હતી. આ લોકો તેમના પ્યારના માર્ગમાં અડચણરૂપ હતાં.
PMની ચૂંટણી રેલીમાં મંચ પર દેખાયા મિથુનદા, BJPમાં થયા સામેલ
7th March, 2021 13:05 ISTખેડૂત આંદોલનને 100 દિવસ પૂરા થયા
7th March, 2021 11:30 ISTકોરોનાના ઍક્ટિવ કેસ વધુ હોય ત્યાં રસીકરણને વેગ આપવા રાજ્યોને કેન્દ્રનો આદેશ
7th March, 2021 09:27 ISTનંદીગ્રામમાં મમતાને ટક્કર આપશે સુવેન્દુ અધિકારી
7th March, 2021 09:27 IST