કર્ણાટકમાં ભયંકર ઍક્સિડન્ટ : 11 મોત
પ્રતીકાત્મક તસવીર
કર્ણાટકમાં ગઈ કાલે વહેલી સવારે લિટિગિટ્ટી ગામ પાસે એક ટ્રક અને મિની બસની અથડામણ થતાં ૧૧ વ્યક્તિ મૃત્યુ પામ્યા હતા તથા ૬ વ્યક્તિ ઘાયલ થઈ હતી. પારિવારિક પ્રસંગ માટે દેવનાગરીથી ગોવા તરફ જઈ રહેલી આ મિની બસમાં ૧૭ પ્રવાસીઓ હતા, જેમાં મોટા ભાગે મહિલાઓ હતી. સૂચિત દુર્ઘટનામાં મિની બસના ડ્રાઇવર સહિત ૧૦ મહિલાઓ મૃત્યુ પામી હતી. ઈજાગ્રસ્ત ૬ મહિલાઓને સારવાર માટે નજીકના કર્ણાટક ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસમાં લઈ જવાઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મરનાર મુસાફરો પ્રત્યે દિલગીરી વ્યક્ત કરતાં ઈજાગ્રસ્તોને ઝડપી રિકવરીની કામના કરી છે.