ચમોલી જિલ્લામાં હિમસ્ખલન બાદ ઋષિગંગા અને ફરી ધૌલીગંગા પર બનેલા હાઈડ્રો પ્રોજેક્ટનો ડૅમ તૂટી જવાથી ગંગા અને તેની સહાયક નદીઓના પૂરને કારણે નુકસાન થયું છે. તેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ચમોલીથી લઈને હરિદ્વાર સુધી રેડ અલર્ટ જાહેર કરાયું છે. જ્યારે આ અકસ્માત થયો, ત્યારે બન્ને પ્રોજેક્ટ પર મોટી સંખ્યામાં મજૂરો કામ કરી રહ્યા હતા. આ અકસ્માતમાં આશરે 150 લોકો ગુમ થયાની આશંકા છે, જ્યારે બે લોકોના મૃતદેહો મળવાના સમાચાર છે. મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત સતત આ ઘટના પર નજર રાખી રહ્યા છે. તેઓ સ્થળ પર જવા રવાના થયા છે. ગૃહપ્રધાન અમિત શાહે ટ્વિટ કર્યું છે, આ સંદર્ભે સીએમ ત્રિવેન્દ્ર રાવત સાથે વાતચીત કરવામાં આવી છે. ડીજી આઈટીબીપી અને ડીજી એનડીઆએફ સાથે પણ વાત કરવામાં આવી છે. તમામ સંબંધિત અધિકારીઓ લોકોને સલામત બનાવવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે. એનડીઆરએફ બચાવ કામગીરી માટે રવાના થયા છે. દેવભૂમિને દરેક શક્ય સહાય આપવામાં આવશે. આ સાથે જ કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે આ સમગ્ર મામલે રિપોર્ટ માંગ્યો છે.
चमोली में बंध टूटने के बाद कई जगहों पर बध जैसे हालत। भारी नुक़सान की आशंका। नदी के किनारे वाले इलाक़े में रहने वालों में दहशत। @JagranNews https://t.co/54ui1MMwqv pic.twitter.com/vWEzXmyO2F
— amit singh (@Join_AmitSingh) February 7, 2021
હેલ્પલાઈન નંબર બહાર પાડ્યો
મુખ્ય સચિવ ઓમ પ્રકાશે કહ્યું કે એનડીઆરએફ પણ અસરગ્રસ્ત વિસ્તારો માટે રવાના થઈ ગઈ છે. પાણીનો પ્રવાહ હવે થોડો ઓછો થયો છે. આ કારણોસર નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ગભરાવવાની જરૂર નથી. તેમ જ એનડીઆરએફ અને ઉત્તરાખંડ પોલીસે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે. +911352410197, +9118001804375, +919456596190. આ નંબરો પર ફોન કરીને મદદ મેળવી શકાય છે.
મળેલી માહિતી અનુસાર રવિવાર સવારે હિમસ્ખલન બાદ ચમોલી જિલ્લાના અંતર્ગત ઋષિગંગા નદી પર રૈણી ગામમાં નિર્માણ હેઠળ 24 મૅગાવૉટના હાઈડ્રો પ્રોજેક્ટને બેરેજ તૂટી ગયો હતો. ત્યાર બાદ કાટમાળ અને પાણીનો ભારે પ્રવાહ ધૌલીગંગા તરફ આગળ વધ્યો. પરિણામે રૈણીથી લગભગ 10 કિમી દૂર તપોવનમાં ધૌલીગંગા નદી પર બાંધકામ હેઠળ 520 મેગાવૉટ વીજ પ્રોજેક્ટરના બેરેજ પણ નષ્ટ થઈ ગયા હતા. આ પછી સ્થિતિ બગડી ગઈ. બન્ને પ્રોજેક્ટ પર કામ કરી રહેલા મોટી સંખ્યામાં મજૂરો તણાઈ ગયાની સૂચના છે.
કેમ્પોની સંખ્યા 600ની આસપાસ છે. સાથે જ ગંગા અને તેની સહાયક જે નદીઓમાં પૂરનું જોખમ છે, ત્યાં આસપાસના વિસ્તારોને ખાલી કરવામાં આવ્યા છે. પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં મજૂરો પાણીમાં તણાઈ ગયા છે. બીજી તરફ ગઢવાલ મંડલાયક રવિનાશ રમણે જણાવ્યું ચમોલીના ડીએમ અને એસએસપી ઘટનાસ્થળ પર જવા રવાના થઈ ગયા છે.
બંધ કરાયું રાફ્ટિંગ
ઋષિકેશ કોડિયાલા ઈકો ટૂરિઝ્મ ઝોનમાં વૉટર પોલીસ અને એસડીઆરએફને અલર્ટ કરવામાં આવ્યા છે. જળ પોલીસ સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો રાફ્ટિંગ સ્થળો પર પહોંચી ગઈ છે. અહીં રાફ્ટીંગ બંધ કરાયું છે. આ સાથે જ ચમોલી અને રૂદ્રપ્રયાગ જિલ્લામાં નદી કિનારે તમામ જગ્યાઓ પર અલર્ટ જાહેર કર્યું છે.
ઉત્તરાખંડમાં ગ્લૅસિયરની ઘટના બાદ ગુમ થયેલા મજૂરના પરિવારને ત્રણ લાખની મદદ કરી નેહા કક્કડે
27th February, 2021 15:43 ISTવસીમ જાફરએ કોમવાદી વલણના આરોપ અંગે ચોખવટ કરતાં સાથી ક્રિકેટરોએ કહ્યું આમ
12th February, 2021 15:10 ISTUttarakhand Glacier: દુર્ઘટનામાં કુલ 32નાં મોત, હજી પણ 170 કરતાં વધુ મજૂરો ગુમ
11th February, 2021 09:45 ISTઉત્તરાખંડની કુદરતી આફતનો મરણાંક 31 પર પહોંચ્યો
10th February, 2021 11:10 IST