Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૧૯૯૦ના દાયકામાં કાશ્મીરથી ગુમ થયેલી દુર્ગામાની મૂ્ર્તિ જર્મનીએ ભારતને પાછી સોંપી

૧૯૯૦ના દાયકામાં કાશ્મીરથી ગુમ થયેલી દુર્ગામાની મૂ્ર્તિ જર્મનીએ ભારતને પાછી સોંપી

06 October, 2015 05:50 AM IST |

૧૯૯૦ના દાયકામાં કાશ્મીરથી ગુમ થયેલી દુર્ગામાની મૂ્ર્તિ જર્મનીએ ભારતને પાછી સોંપી

 ૧૯૯૦ના દાયકામાં કાશ્મીરથી ગુમ થયેલી દુર્ગામાની મૂ્ર્તિ જર્મનીએ ભારતને પાછી સોંપી



engela morkel



વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મન ચાન્સેલરને આ માટે ધન્યવાદ આપતાં કહ્યું હતું કે આ મૂર્તિ જમ્મુ-કાશ્મીરની છે અને એ અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે.

મહિષાસુર મર્દિનીનો અવતાર ધરાવતી આ મૂર્તિ ૧૯૯૦ના દાયકામાં કાશ્મીરમાં પુલવામામાંથી ચોરાઈ હતી. આ ચોરી વિશે જ્ત્ય્ પણ નોંધવામાં આવ્યો હતો. ૨૦૧૨માં આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાને બાતમી મળી હતી કે આ મૂર્તિ સ્ટુટગાર્ટના લિન્ડન મ્યુઝિયમમાં છે. ત્યાર બાદ ભારત સરકારે આ મૂર્તિ પાછી મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ગયા વર્ષે આ હેતુસર આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાના બે અધિકારીઓએ સ્ટુટગાર્ટની મુલાકાત લીધી હતી.

આ મૂર્તિ ભારતની છે એમ જ્ત્ય્માં દર્શાવી, પુરવાર કરી ભારત સરકારે જર્મનીના સત્તાવાળાઓ સાથે મૂર્તિ પાછી મેળવવાની કાર્યવાહી શરૂ કરી હતી. 

આ મૂર્તિને ભારતમાંથી દાણચોરી દ્વારા જર્મની લઈ જવામાં કુખ્યાત ઇન્ડિયન આર્ટ-ડીલર સુભાષ કપૂરનો હાથ માનવામાં આવે છે. ૨૦૧૧માં સુભાષ કપૂરની જર્મનીમાંથી ધરપકડ કરવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

06 October, 2015 05:50 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK