Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > કેશુબાપાની નજીક રહેનારા તમામની ટિકિટ કાપશે મોદી

કેશુબાપાની નજીક રહેનારા તમામની ટિકિટ કાપશે મોદી

01 August, 2012 02:57 AM IST |

કેશુબાપાની નજીક રહેનારા તમામની ટિકિટ કાપશે મોદી

કેશુબાપાની નજીક રહેનારા તમામની ટિકિટ કાપશે મોદી


modi-tickatકેશુભાઈ પટેલે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ખુલ્લેઆમ શરૂ કરેલા આંદોલનની સીધી આડઅસર બીજા કોઈને પડે કે ન પડે, પણ એક સમયે કેશુભાઈ પટેલના જેકોઈ વિશ્વાસુ હતા એ બીજેપીના તમામ ધારાસભ્યોને પડવાની છે.

ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપીની ગુજરાતની કોર કમિટી આગામી વિધાનસભાના ઇલેક્શનમાં જે કોઈને ટિકિટ આપવાની છે એ સંભવિત ઉમેદવારોમાંથી ૪૦ ધારાસભ્યોને કાપી નાખ્યા છે. આ ચાલીસેચાલીસ ધારાસભ્યોનો વાંક માત્ર એટલો છે કે તેઓ અત્યારે સૈદ્ધાંતિક રીતે બીજેપી સાથે છે, પણ તેમની લાગણી કેશુભાઈ પટેલ સાથે છે. ગુજરાત બીજેપી સાથે સંકળાયેલા એક સિનિયર નેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બીજેપી માને છે કે આ ૪૦ ધારાસભ્યો ગમેત્યારે કેશુભાઈ માટે લાગણી દેખાડી દે એવી શંકા હોવાથી અત્યારે તેમને ટિકિટ આપવાના લિસ્ટમાંથી બ્લૅક-લિસ્ટ કરવામાં આવ્યા છે. અગાઉ કેશુભાઈ પટેલે કોઈ બળવો નહોતો કર્યો એટલે આ ૪૦ ધારાસભ્યો પ્રત્યે શંકા રાખવાની જરૂર નહોતી, પણ હવે કેશુભાઈ મેદાનમાં છે ત્યારે એવું રિસ્ક લેવું ન જોઈએ એમ નરેન્દ્ર મોદી માને છે અને એટલે જ અમે કરન્ટ ૪૦ ધારાસભ્યોને કાપવાનું નક્કી કર્યું છે.’



આંતરિક મીટિંગમાં લેવામાં આવેલા આ નિર્ણયને કારણે ચોક્કસપણે બીજેપીમાં ઊહાપોહ થવાનો છે. એ સાંભળ્યાં પછી કેશુભાઈ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મોદીએ જે કોઈ ધારાસભ્યોનાં નામનું લિસ્ટ બનાવ્યું છે એ ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. અમે ઍક્શન લેવાય એની જ રાહ જોઈ રહ્યા છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

01 August, 2012 02:57 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK