નારાયણ રાણે covid-19 પૉઝિટિવ
ફાઈલ તસવીર
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપ નેતા નારાયણ રાણેનો કોવિડ-19 રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. તેમણે ટ્વીટરના માધ્યમે આ માહિતી શૅર કરી હતી. ડૉક્ટરે તેમને થોડાક દિવસ આઈસોલેશનમાં રહેવાની સલાહ આપી છે.
माझी कोविड टेस्ट पॉझिटिव्ह आलेली आहे. माझी तब्येत अतिशय उत्तम असून डॉक्टरांच्या सल्लानुसार मी काही दिवस आयसोलेट राहणार आहे. गेल्या काही दिवसांत माझ्या संपर्कात आलेल्या नागरिकांनी स्वतःच्या आरोग्याची काळजी घ्यावी. लवकरच मी लोकसेवेत पुन्हा रुजू होईल.
— Narayan Rane (@MeNarayanRane) October 1, 2020
ADVERTISEMENT
રાજ્ય સભાના સંસદસભ્ય નારાયણ રાણેએ લોકોને વિનંતી પણ કરી છે કે જે તેમના સંપર્કમાં આવ્યા હોય તે પોતાનો ટેસ્ટ કરાવીને જરૂરી તબીબી સારવાર કરે. તેમણે મરાઠીમાં ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.
નારાયણ રાણે ઉપરાંત મહારાષ્ટ્રના અમૂક પ્રધાનોનો કોવિડ-19 રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે જેમાં કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરી, બચ્ચુ કાડુ, વર્ષા ગાયકવાડ, નીતિન રાઉત, વિશ્વજીત કદમ અને સુનિલ કેદારનો સમાવેશ છે.