નાના પાટેકરની આગાહી : ચૂંટણી પછી રાજ અને ઉદ્ધવ ઠાકરે એક થશે
આ બે ભાઈઓને એક કરવા માટે નાના પાટેકરે પણ પ્રયાસો કર્યા હતા જે સફળ રહ્યા નથી. આ વિશે તેમને પૂછવામાં આવેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘ઠાકરે જિદ્દી છે અને તેઓ તેમને ફાવે એમ જ કરે છે. મહારાષ્ટ્રમાં તમામ પાર્ટીઓ એમના સ્વબળે ચૂંટણી લડે છે ત્યારે ફાઇનલમાં કોની સામે કોણ છે એ સમજાતું નથી. શિવસેના અને BJPની યુતિ તૂટી ન હોત તો સારું થયું હોત.’
રાજકારણમાં આવશો કે નહીં એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘મારે રાજકારણમાં આવવું નથી. મારો પક્ષ મારો કૅમેરા છે.’