Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નાલાસોપારામાં વિકૃતિની હદ : મહિલાની હત્યા કર્યા બાદ આચર્યું દુષ્કર્મ

નાલાસોપારામાં વિકૃતિની હદ : મહિલાની હત્યા કર્યા બાદ આચર્યું દુષ્કર્મ

04 July, 2020 07:20 AM IST | Mumbai
Mehul Jethva | mehul.jethva@mid-day.com

નાલાસોપારામાં વિકૃતિની હદ : મહિલાની હત્યા કર્યા બાદ આચર્યું દુષ્કર્મ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


એક ચોંકાવનારી ઘટના પાલઘર જિલ્લાના નાલાસોપારા વિસ્તારમાં બની હતી જેમાં ૩૦ વર્ષીય દુકાનદારને તેની દુકાનની અંદર એક મહિલાની હત્યા કરવા અને ત્યારબાદ તેના મૃતદેહને ફેંકી દેતા પહેલા શબ સાથે દુષ્કર્મ કરવાના આરોપસર પોલીસે ધરપકડ કરી છે. એક અઠવાડિયા પહેલા આ ઘટના બની હતી જ્યારે એક ૩૨ વર્ષિય પીડિતા જે રમકડા ખરીદવા દુકાન પર ગઈ હતી. ત્યાર દુકાનદારે આવા કુર્કમ કરયા હતા.

નાલાસોપારામાં રહેતા શિવ ચૌધરી તરીકે ઓળખાતા આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે મહિલા દુકાનમાં આવી હતી ત્યારે ઝઘડો થયો હતો અને તેણેએ તેની હત્યા કરી હતી.ગુનો કર્યા બાદ આરોપીઓએ લાશ લપેટવી અને પીક-અપ વાનમાં મૂકી દીધી હતી. એ બાદ લાશ બે દિવસ પછી મળી હતી.



પોલીસના જણાવ્યા અનુસાર ૨૬ જૂને પીડિતા સવારે શાકભાજી ખરીદવા માટે ઘરેથી નીકળી હતી અને ત્યારબાદ તે પરત ફરી નહોતી. બીજા દિવસે પડોશીઓ અને સંબંધીઓમાં તેની શોધખોળ કર્યા બાદ પણ તેની કોઇ જાણકારી મળી નહોતી. બાદમાં તેના પતિએ પોલીસનો સંપર્ક કર્યો અને ગુમ થયેલી મહિલાની મિશીગ ફરિયાદ નોંધાવી હતી.


દરમિયાન ૨૮ જૂને પોલીસને બાતમી મળી હતી કે ચંદન નાકા ખાતે પ્લાસ્ટિકની થેલીમાંથી દુર્ગંધ આવી રહી છે. ત્યારબાદ પોલીસ ટીમ ઘટના સ્થળ પર આવી હતી અને થેલીનું નિરીક્ષણ કર્યા બાદ પોલીસને એક મહિલાની ગળું કાપેલું મૃતદેહ મળી આવ્યો હતું. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

ક્રાઇમ બ્રાચનાં એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે,”અમે ફરિયાદીને તે મહિલાનો મૃતદેહ બતાવ્યો, જેણે તેને તેની પત્ની તરીકે ઓળખાવી હતી. એવું લાગે છે કે કોઈએ તેનું ગળું કાપીને તેની હત્યા કરી હતી અને પાર્ક કરેલી જીપમાં તેના શરીરને ફેંકી દીધી હતી. બાદમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તે બહાર આવ્યું હતું. તેની સાથે જાતીય સતામણી કરવામાં આવી હતી.ત્યારબાદ તુલિંજ પોલીસે આ મામલે હત્યા અને બળાત્કારનો ગુનો નોંધ્યો હતો અને આ તપાસ શરૂ કરી હતી.


આ કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈ ક્રાઈમ બ્રાંચે પણ તપાસ શરૂ કરી હતી અને શિવ ચૌધરી તરીકે ઓળખાતા શંકાસ્પદ વ્યક્તિ પર સ્થાનિક ક્રાઇમ બ્રાંચના વસઈ યુનિટના અધિકારીને આરોપીને ઓળખવમાં સફળતા મળી હતી તુલિંજ પોલીસ સ્ટેસના પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનો કર્યો હોવાની કબૂલાત કરી હતી અને તેણે અમને કહ્યું હતું કે તેણે ગળુ કાપ્યા પછી તેની પર બળાત્કાર ગુજાર્યો હતો ત્યાર બાદ તેની બોડી થેલીમાં લપેટીને નાખી દીધી હતી."

Whatsapp-channel Whatsapp-channel

04 July, 2020 07:20 AM IST | Mumbai | Mehul Jethva

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK