નાગપાડાની આગમાં ૨૦ બાળકોને બચાવી લેવામાં આવ્યાં : એકનું મોત
આ ઘટનાને લીધે સમગ્ર પરિસરમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. જોકે આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હોવાના અહેવાલ છે. બિલ્ડિંગના બીજા માળે મદરેસા હોવાથી અભ્યાસ માટે આવેલાં ૨૦ બાળકોને ફાયરબ્રિગેડના જવાનોએ હેમખેમ બહાર કાઢ્યાં હતાં. જે. જે. હૉસ્પિટલ સામે આવેલી શેખ બુરહાન કમરુદ્દીન સ્ટ્રીટમાં આવેલા ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળના બહેતૂન નૂર બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર ગઈ કાલે સાંજે ૭.૪૫ વાગ્યે સામાન્ય આગ ફાટી નીકળી હતી. જોકે ધીમે-ધીમે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં એ બિલ્ડિંગના ત્રીજા માળ સુધી ફેલાઈ ગઈ હતી. આગમાં ૯૫ ટકા દાઝી ગયેલા ૫૦ વર્ષના બશીર અહેમદનું ઘટનાસ્થળે મોત થયું હતું.