Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મેહબૂબાએ જમાત-એ-ઇસ્લામી પર મુકાયેલા પ્રતિબંધના નિર્ણયને વખોડ્યો

મેહબૂબાએ જમાત-એ-ઇસ્લામી પર મુકાયેલા પ્રતિબંધના નિર્ણયને વખોડ્યો

02 March, 2019 08:04 AM IST | જમ્મુ-કાશ્મીર

મેહબૂબાએ જમાત-એ-ઇસ્લામી પર મુકાયેલા પ્રતિબંધના નિર્ણયને વખોડ્યો

મેહબૂબા મુફ્તી

મેહબૂબા મુફ્તી


જમ્મુ-કાશ્મીરમાં ભાગલાવાદી વિચારોના પ્રસારમાં મુખ્ય ભૂમિકા ભજવનારા સંગઠન જમાત-એ-ઇસ્લામી (જમ્મુ-કાશ્મીર) પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્ર સરકારના નિર્ણયની PDPનાં નેતા અને જમ્મુ-કાશ્મીરનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મેહબૂબા મુફ્તીએ આકરી ટીકા કરી હતી. મેહબૂબાએ જણાવ્યું હતું કે રાજકીય સમસ્યાના ઉકેલ માટે બળપ્રયોગના કેન્દ્ર સરકારના વલણનું વધુ એક ઉદાહરણ જમાત-એ-ઇસ્લામી પર પ્રતિબંધ દ્વારા મળ્યું છે.

મેહબૂબા મુફ્તીએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘લોકશાહીમાં વિચારોની લડાઈ ચાલે છે. જમ્મુ-કાશ્મીરમાં દરોડાસત્ર બાદ જમાત-એ-ઇસ્લામી પર પ્રતિબંધ વખોડવાલાયક છે. જમ્મુ-કાશ્મીરમાં રાજકીય વિવાદના ઉકેલ માટે કેન્દ્ર સરકાર દ્વારા બળપ્રયોગનું આ વધુ એક ઉદાહરણ છે.’



આ પણ વાંચો : જાણો PM મોદીએ વિંગ કમાન્ડર અભિનંદન ભારતમાં આવતા શું કહ્યું


કેન્દ્ર સરકારે આતંકવાદી સંગઠનો સાથે નિકટના સંબંધો અને ભાગલાવાદી પ્રવૃત્તિની ઉશ્કેરણીની શક્યતાને ધ્યાનમાં રાખીને આતંકવાદવિરોધી કાયદા હેઠળ જમ્મુ-કાશ્મીરમાં જમાત-એ-ઇસ્લામી પર પ્રતિબંધ મૂક્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

02 March, 2019 08:04 AM IST | જમ્મુ-કાશ્મીર

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK