Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ: શહેરમાં સાત દિવસ સુધી 10 ટકા પાણીકાપ

મુંબઈ: શહેરમાં સાત દિવસ સુધી 10 ટકા પાણીકાપ

01 December, 2019 01:55 PM IST | Mumbai

મુંબઈ: શહેરમાં સાત દિવસ સુધી 10 ટકા પાણીકાપ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બીએમસી પીસે પમ્પિંગ સ્ટેશનના ગેટ સિસ્ટમનું રિપેરિંગ કામ હાથ ધરી રહી હોવાથી મંગળવાર ૩ ડિસેમ્બરથી ૯ ડિસેમ્બર દરમ્યાન શહેરમાં ૧૦ ટકા પાણીકાપ લાગુ પડશે. 

જળાશયોમાંથી પાણી ભાંડુપ, પીસે અને પાંજરાપુર વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મોકલવામાં આવે છે. પીસેમાં બીએમસીનું પમ્પિંગ સ્ટેશન છે જેમાંથી આઠ કિલોમીટરના અંતરે આવેલા પાંજરાપુરમાં મોકલવામાં આવે છે. શહેરમાં અવિરત પાણી પુરવઠો પહોંચાડવા માટે આ પમ્પિંગ સ્ટેશન અત્યંત મહત્ત્વનું છે અને બીએમસી દ્વારા નિયમિતપણે વાયુયુક્ત ગેટ સિસ્ટમનું રિપેરિંગ અને મેઇન્ટેનન્સનું કામ કરવામાં આવે છે.



આ પણ વાંચો : 2024માં ભારત દુનિયાના 30 મોસ્ટ બિઝનેસ ફ્રેન્ડ્લી દેશમાં સામેલ થશે : અમિત શાહ


રિપેરિંગ કામને બેથી ત્રણ દિવસ લાગશે, પરંતુ રિપેરિંગ શરૂ કરતાં પહેલાં ૩૫થી ૪૦ કિલોમીટરના અંતરે આવેલા ભાતસા ડૅમના દરવાજા બંધ કરવા પડશે. ડૅમના દરવાજા બંધ કર્યાના બેથી ત્રણ દિવસ પછી રિપેરિંગનું કામ શરૂ કરી શકાશે અને રિપેરિંગ કામ પૂરું થયા પછી બે કે ત્રણ દિવસ બાદ ડૅમના દરવાજા ખોલી શકાશે. પાઇપલાઇન પૂરી થાય છે તે દક્ષિણ મુંબઈના વિસ્તારોમાં જૂની બિલ્ડિંગોમાં પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થા ન હોવાથી આ વિસ્તારના લોકોને પાણીકાપને લીધે વધુ તકલીફ રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

01 December, 2019 01:55 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK