મુંબઈ : વસઈ-વિરારની બસો ફરી શરૂ થશે
વસઈ-વિરારની બસ
લૉકડાઉનને કારણે આઠેક મહિના બંધ રહ્યા પછી વસઈ-વિરાર ટ્રાન્સપોર્ટ સર્વિસની પીળા રંગની બસો ડિસેમ્બર મહિનાથી ફરી શરૂ કરવામાં આવશે. કૉન્ટ્રૅક્ટર્સની સાથે પણ કેટલાક પ્રશ્નો હોવાથી સ્થાનિક લોકોને બેસ્ટ તથા સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસો પર આધાર રાખવો પડતો હતો.
ADVERTISEMENT
વસઈ-વિરાર મહાનગરપાલિકાના કમિશનર ગંગાધરન દેવરાજને જણાવ્યું હતું કે ‘યલો બસ શરૂ કરવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. ટૂંક સમયમાં વર્ક ઑર્ડર્સ ઇશ્યુ કરવામાં આવશે. શરૂઆતમાં નિર્ધારિત રૂટૂસ પર ૧૦૦ બસ દોડાવવાનું અમારું આયોજન છે.’
વસઈ-વિરાર ટ્રાન્સપોર્ટ સર્વિસ ૨૦૧૨માં શરૂ કરવામાં આવી હતી. આ ટ્રાન્સપોર્ટ સર્વિસની બસોનો કાફલો છે અને કૉન્ટ્રૅક્ટરની પણ પોતાની બસો છે. એ બસો ૪૩ રૂટ્સ પર દોડાવવામાં આવે છે.
ટ્રાન્સપોર્ટ સર્વિસની બસો ૧૮૦ ટ્રિપ્સની હેરફેર કરે છે. રોગચાળા પૂર્વે આ યલો બસમાં દરરોજ એક લાખ જેટલા લોકો પ્રવાસ કરતા હતા.